Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGU માં ચાર કર્મચારીઓ નિવૃત્ત થતા વિદાય સમારોહ:કર્મચારીઓને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા

    1 day ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે તાજેતરમાં ચાર કર્મચારીઓના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની દીર્ઘ સેવાઓને સન્માનિત કરવામાં આવી હતી. નિવૃત્ત થનારા કર્મચારીઓમાં ડૉ. કપિલા મનોજ (62 વર્ષ, પ્રોફેસર અને વડા, એકેડેમિક બાયોલોજી વિભાગ), ડૉ. પારુલ પટેલ (58 વર્ષ, ટેકનિકલ આસિસ્ટન્ટ-ગ્રંથાલય), મહેશકુમાર કુકસર (60 વર્ષ, પટાવાળા, પરીક્ષા વિભાગ) અને પ્રવીણકુમાર રાઠોડ (60 વર્ષ, પટાવાળા, વહીવટી વિભાગ) નો સમાવેશ થાય છે. યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને કાર્યકારી પરિષદના સભ્યોની ઉપસ્થિતિમાં આ કર્મચારીઓને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભ દરમિયાન વક્તાઓએ નિવૃત્ત કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક સેવાઓ અને યુનિવર્સિટીના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. તેમની કાર્યનિષ્ઠાને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. નિવૃત્ત કર્મચારીઓએ પણ પોતાના અનુભવો રજૂ કરીને યુનિવર્સિટી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે, સૌએ તેમના સ્વસ્થ, સુખમય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં શિક્ષકોના ટેટ નાબૂદી માટે ધરણાં પ્રદર્શન:જિલ્લા પંચાયત સામે શિક્ષકો દ્વારા વિરોધ; અનુભવી શિક્ષકોને ટેટ મુક્તિ આપવા માગ
    Next Article
    મનપા સ્ટેન્ડિંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય:કોન્ટ્રાકટ પરનાં 22 શાખાનાં 51 વાહનોને બ્રેક લગાવાઈ, વાર્ષિક 1.89 કરોડ બચશે; રેસકોર્સ રિંગરોડનાં લાઈટિંગ માટેનો ખર્ચ નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment