Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGU અંગ્રેજી વિભાગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો:'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર ચર્ચા

    8 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના અંગ્રેજી વિભાગ દ્વારા 10 અને 11 માર્ચના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું. 'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વિદ્વાનો, સંશોધકો અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો પ્રારંભ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર ડેના સ્વાગત પ્રવચનથી થયો હતો. ત્યારબાદ પરિસંવાદના સમન્વયક ડૉ. સુનીલ શાહે પરિસંવાદના વિષય અને ઉદ્દેશ્ય અંગે પરિચય આપ્યો. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં અંગ્રેજી અભ્યાસક્ષેત્રમાં ઉભરી રહેલા નવા પ્રવાહો તથા આધુનિક ટેકનોલોજીના પ્રભાવ પર પ્રકાશ પાડી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પરિસંવાદ દરમિયાન અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડૉ. ડેવિડ પેરોડિને “Rehumanizing English Studies in the Age of Artificial Intelligence” વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત, ડૉ. દિલીપ બારડ, ડૉ. જેમ્સ સિમ્પસન અને ડૉ. આનંદ મહાનદે પ્લીનરી વ્યાખ્યાનો આપ્યા હતા. એચ.સી. ત્રિવેદી મેમોરિયલ લેકચર તરીકે ડૉ. કલ્પના પુરોહિતે “Retellings of Myth” વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં હોંગકોંગ, થાઈલેન્ડ તેમજ ભારતના મધ્યપ્રદેશ, કેરળ અને ગુજરાત જેવા વિવિધ રાજ્યોમાંથી સંશોધકો જોડાયા હતા. આ વૈવિધ્યપૂર્ણ ઉપસ્થિતિના કારણે શૈક્ષણિક આદાન-પ્રદાનને નવી દિશા મળી અને ભારતીય તેમજ વૈશ્વિક સાહિત્યિક પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. બે દિવસીય પરિસંવાદ દરમિયાન કુલ ૧૩૦ સંશોધનાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી ૧૦૩ સંશોધનાર્થીઓએ સંશોધનપત્રો રજૂ કર્યા હતા. રજૂ થયેલા સંશોધનપત્રોમાં રોજગારલક્ષી અંગ્રેજી, અંગ્રેજી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ યુગમાં અંગ્રેજી, બહુભાષી સંદર્ભમાં ભાષા પ્રાપ્તિ, AI અને સાહિત્યિક પ્રકારોનો વિકાસ તથા સર્જનાત્મક લેખન માટે AI જેવા આધુનિક વિષયોનો સમાવેશ થયો હતો. ઉપરાંત ઉત્તર-સંસ્થાનવાદી સાહિત્યનું પુનઃવાંચન, તુલનાત્મક અને વિશ્વ સાહિત્ય જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાપન સમારોહમાં ડૉ. મનીષ સિદ્ધપુરિયાએ અધ્યક્ષસ્થાનેથી સાહિત્ય અને ભાષા અભ્યાસની પ્રસ્તુતતા પર ભાર મૂક્યો અને સફળ આયોજન બદલ અંગ્રેજી વિભાગની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે ડૉ. સુનીલ શાહે આભારવિધિ કરી તમામ વક્તાઓ, સંશોધકો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો. પ્રોફેસર સુનીલ શાહના સંકલન હેઠળ યોજાયેલ આ પરિસંવાદ સાહિત્ય, સંસ્કૃતિ અને ભાષા અભ્યાસ માટે એક મહત્વપૂર્ણ બૌદ્ધિક મંચ સાબિત થયો.
    Click here to Read More
    Previous Article
    ઊંઝાની શ્રી વિ.મ.પટેલ શાળામાં વાલી સંમેલન યોજાયું:વાલીઓએ રમતોત્સવ માણ્યો, બાળકોને વિવિધ પ્રવૃત્તિના ઇનામ અપાયા
    Next Article
    Food delivery agents, tempo drivers: How Vadodara police used disguise to track down abduction accused on the run for 2 decades

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment