Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયથી મહાત્મા મંદિર સુધી દોડતી મેટ્રો, એક્સક્લુઝિવ VIDEO:અધિકારીઓએ અંદર બેસીને કર્યું રુટનું નિરીક્ષણ, 5 નવા મેટ્રો સ્ટેશનનો ફર્સ્ટ લૂક

    3 days ago

    CM ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે. આજે ગાંધીનગરમાં આગામી સમયમાં લોકાર્પણ થનારા નવા રેલવે સ્ટેશનોના રૂટનું નિરીક્ષણ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આજે કોબાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો સ્ટેશન સુધીનો પુરો રસ્તો બતાવવામાં આવ્યો છે. હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને હવે વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આગળ વધારવામાં આવી છે. ગાંધીનગરના નવા મેટ્રો સ્ટેશનોનું નિરીક્ષણ આ વીડિયોની શરૂઆતમાં સચિવાલય સ્ટેશન દેખાય છે. ત્યારબાદ જુના સચિવાલય સ્ટેશન, ચાર રસ્તા, નવા MLA ક્વાર્ટર, ઘ-5 સર્કલનો રોડ અને અંતે સેક્ટર-16 રેલવે સ્ટેશન સુધીનો રૂટ બતાવવામાં આવ્યો છે. આમાં ચીફ સેક્રેટરી પણ મેટ્રોનું નિરીક્ષણ કરતા નજરે પડે છે તદુપરાંત ગાંધીનગરના વિવિધ સેક્ટર વિસ્તારોના દૃશ્યો પણ સમાવિષ્ટ છે. આ વીડિયો નવા સ્ટેશનોના નિરીક્ષણ અને તૈયારીઓની પ્રગતિ દર્શાવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે ગાંધીનગરના રેલ વિકાસ અને શહેરી કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોનો ભાગ છે. 2025માં મેટ્રો નેટવર્ક 1013 કિલોમીટર થયું અમદાવાદ મેટ્રો હાલમાં દરરોજના 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30-40 ટકાનો વધારો થઈ રહ્યો છે. CMએ તાજેતરમાં આપેલી માહિતી મુજબ 2014માં મેટ્રો નેટવર્ક 248 કિલોમીટર હતું, જે 2025માં વધીને 1013 કિલોમીટર થયું છે. આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી જતી માંગ તેમજ લોકપ્રિયતાને પૂરી કરવાની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુગમ બનાવશે. અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલની કનેક્ટિવિટી મળશે. મેટ્રો રેલની આ સુવિધા મુસાફરીને વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનાવશે, જેનાથી બંને જોડિયા શહેરોના નાગરિકોને મોટો ફાયદો થશે. મોદી મેટ્રોમાં બેસી અમદાવાદથી મહાત્મા મંદિર સુધી જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ 12 તારીખે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને મહાત્મા મંદિર સુધી આવે…(સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો) મેટ્રો ટ્રેન મોટેરાથી સીધી મહાત્મા મંદિર સુધી દોડશે હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને હવે વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આગળ વધારવામાં આવી…(સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:બેલ્જિયમની યુવતીએ યુરોપ ફરવા ગયા ત્યારે ભારતીય પતિને એરપોર્ટ પર જ કહ્યું ‘તું જા, હંુ અને દીકરી નહીં આવીએ’, આખરે મામલો કોર્ટમાં
    Next Article
    વાહન પર લગાવેલો આ 'QR કોડ' તમારો જીવ બચાવશે:રોડ અકસ્માતમાં સમયસર મદદ પહોંચાડવા બ્લડ ગ્રુપથી લઈ ઇમર્જન્સી કોન્ટેક્ટ તત્કાલ મળશે, કોલર-રિસીવરને એકબીજાનો નંબર નહીં દેખાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment