Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમઝાનમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ, VIDEO:ઝાંપાબજારમાં મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ ઉગ્ર રૂપ લીધું, અંતે સમાધાન

    2 days ago

    સુરતમાં રમઝાન માસમાં ઝાંપાબજાર, કુંભારવાડમાં આવેલી મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ રાત્રે ઉગ્ર રૂપ લીધું હતું. મુસ્લિમ સમાજના બે ટોળાં સામસામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. મામલો વધુ બગડે નહિ તે માટે પોલીસે કાફલો પણ તહેનાત કરી દીધો હતો. રિક્ષા પાર્કિંગને લઈ બોલાચાલી બાદ મામલો બિચક્યો કુંભારવાડામાં મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલાં એક યુવકે કરેલા પાર્કિંગને લઈ મામલો બિચક્યો હતો. રિક્ષા પાર્કિંગને લઈ આ ચાલક સાથે મસ્જિદની સામે રહેતાં એક શખ્સનાં પુત્રની બોલાચાલી થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડા દરમિયાન રિક્ષાચાલકને પણ ઈજા થયાની વાતો ફેલાતાં બે જૂથનાં ટોળાં ભેગા થઇ ગયા હતા. ટોળું ત્યાં ભેગું થઈ હંગામો કરતું હોઈ કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળું વિખેર્યું બે જૂથ વચ્ચે મારામારીની ઘટનાનો કોલ મળતાં મહીધરપુરા પોલીસની ટીમ ત્યાં ધસી ગઇ હતી. પોલીસની વોર્નિંગ બાદ પણ ટોળું હટવા તૈયાર નહિ હોઈ પોલીસને ઘટનાસ્થળ સુધી જવામાં અડચણ ઉભું કરતું હોઈ પોલીસે હળવો લાઠીચાર્જનો સહારો લીધો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાંને વિખેરી નાંખી પરિસ્થિત પર કાબુ મેળવ્યો હતો. મામલો વધુ નહિ બગડે તે માટે પોલીસ અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયામાં અફવાઓ પોલીસના લાઠીચાર્જ બાદ મામલો સંપૂર્ણ પણે શાંત થઈ ગયો હતો. જોકે દોડાદોડી અને ધીંગાણામાં માટલા વેપારીઓનાં માટલાં અને બીજી સામગ્રી તૂટી જતાં તેમને નુક્સાન થયું હતું. કેટલાંકને આ તૂટેલાં માટલાઓની ઇજા પણ થઈ હતી. રમઝાન માસમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે થયેલાં ઝઘડાએ શહેરમાં ચર્ચા અને અફવા બંનેને વેગ આપવાનું કામ કર્યું હતું. સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈ અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી હતી. પોલીસે એક યુવકને ડિટેઇન કર્યો મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે, પાર્કિંગને લઇ મસ્જિદ સામે રહેતાં એક શખ્સનાં પુત્રોએ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ સાથે યુવક અને કેટલાંક લોકો મહિધરપુરા પોલીસ મથકે આવ્યા હતા. પોલીસ આ યુવકને લઇને માર મારનાર શખ્સના ઘરે પહોંચી હતી. અહીં યુવકને ડિટેઇન કર્યો તે સાથે જ અહીં ભેગાં થયેલાં એક જૂથે આ યુવકને માર મારવાના ઇરાદે ઘર્ષણ કરવા લાગ્યા હતા. પરિવાર સાથે મારામારીનો પ્રયાસ થતાં પોલીસે બળપ્રયોગ કર્યો પોલીસની હાજરીમાં આ પરિવાર સાથે મારમારી કરવાની કોશિશ થતાં પોલીસે લાઠીચાર્જનો સહારો લેવો પડયો હતો. પોલીસના લાઠીચાર્જ બાદ ટોળું વિખેરાઇ ગયું હતું અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઇ છે. લોકોએ અફવા પર ધ્યાન નહિ આપવા પણ પોલીસે અપીલ કરી હતી. બંને પૈકી એક પણ પક્ષ ફરિયાદ કરવા નહિ માંગતું હોઇ કોઇ પણ ગુનો નોંધાયો ન હતો. બંને પક્ષ વચ્ચે સમાધાન પોલીસ બંને પક્ષોને મહિધરપુરા પોલસ મથકે લઇ આવી હતી. પોલીસની પાછળ બંને પક્ષના આગેવાનો પણ પોલીસ મથકે દોડી ગયા હતા. મારમારીને લઇ બંને પક્ષના આગેવાનોએ ખેદ વ્યક્ત કરી મધ્યસ્થી બાદ બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. કોઇ કાર્યવાહી નહિ કરવા માંગતા હોવાનું ઝઘડામાં સામેલ બંને પક્ષોએ ફરિયાદ નહિ કરવા માંગતા હોવાનું લખાણ કરી આપી સમાધાન કરવા માંગતા હોવાનું જણાવ્યું હતું. સમાધાન બાદ બંને પક્ષો પોલીસ મથકમાંથી વિદાય થયા હતા. તે સાથે જ પોલીસ મથકે ભેગું થયેલું ટોળું પણ ત્યાંથી વિખરાઇ ગયું હતું. પોલીસે ઘટનાનું પુનરાવર્તન નહિ થાય તે માટેનું કાયમી સમાધાન શોધવા પણ સમજાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલ બાદ ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી:પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, અમદાવાદમાં સગીરોના મારામારીના બનાવોમાં વધારો
    Next Article
    સોમનાથ મંદિર પર જાકળની ચાદર છવાઈ:ગીરસોમનાથમાં વાતાવરણ પલટાતા વહેલી સવારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment