Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VHPના શહેર પ્રમુખે જીવન ટુંકાવ્યું:વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી શહેર પ્રમુખે ધંધામાં ખોટથી ગળેફાંસો ખાધો

    1 week ago

    અમરેલીમાં લીલીયા રોડ રેલવે ફાટક પાસે ખોડિયારનગરમાં રહેતા અને અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામે પાણીની બોટલનો પ્લાન્ટ ધરાવતા વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી શહેર પ્રમુખ ભાવેશભાઈ દુલાભાઈ કાબરીયા (ઉ.વ.43)એ આ પગલું ભર્યું હતું. તેમણે આજે બપોરે ઈશ્વરીયા ગામે આવેલ તેમના પ્લાન્ટમાં લોખંડની એંગલ સાથે સુતરની દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતા તેમના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવીલમાં ખસેડાયો હતો. ભાવેશભાઈ કાબરીયા વિશ્વ હિન્દુ પરિષદમાં અગ્રીમ ભૂમિકા ભજવતા હતા. બે દિવસ પહેલા રામનવમીની શોભાયાત્રાનું આયોજન પણ તેમની આગેવાનીમાં થયું હતું. આ પૂર્વે 12 દિવસ સુધી સીનિયર સીટીઝન પાર્ક ખાતે શહેર વિહીપ દ્વારા ફ્લોટ ઉભા કરી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રા વખતે તેઓ મિત્રોને એવું કહી રહ્યા હતા કે આપણે આ શોભાયાત્રા ભવ્ય કરવી છે. પછી કાલે આપણે હોઈએ કે ન હોઈએ. તેમણે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં ધંધામાં ખોટ ગઈ હોવાનો સુર વ્યક્ત કરાયો હતો. ઘટનાને પગલે શહેરમાં શોકની લાગણી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:કોરિયન ફિલ્મો-સિરિઝની અસરમાં વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ 2.1થી 3.6 થયું, એકાગ્રતા ઘટી-પરિવાર સાથે સંવાદ 40% કપાયો
    Next Article
    હવામાન વિભાગની આગાહી:આજે સાબરકાંઠામાં થંડરસ્ટ્રોમ સાથે વરસાદ પડવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment