Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VHP કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક હરિદ્વારમાં સંપન્ન:ચાર ઠરાવ પસાર કરાયા, ચોટીલાના મહંત પરિવારના મનસુખગિરિ ગોસ્વામીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

    13 hours ago

    વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કેન્દ્રીય માર્ગદર્શક મંડળની દ્વિ-દિવસીય બેઠક 18-19 જૂન, 2026 દરમિયાન હરિદ્વારના નિષ્કામ સેવા ટ્રસ્ટ, દૂધાધારી ચોક, ભૂપતવાલા ખાતે સંપન્ન થઈ. VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપતરાય અને કેન્દ્રીય મંત્રી અશોક તિવારીના નિમંત્રણથી આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશભરના સંત-સમાજ એકત્ર થયો હતો, જેમાં ભારતના ચારેય પીઠના શંકરાચાર્યો સહિત વિવિધ રાજ્યો અને સંપ્રદાયોના સંતો-મહંતો, આચાર્યો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ચોટીલા સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના મનસુખગિરિ ગોસ્વામીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બેઠકના સમાપન દિવસે, 19 જૂને, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મંચ પરથી દેશભરના સંતો-મહંતોને સંબોધન કર્યું અને તેમના આશીર્વાદ લીધા. તેમણે ઉત્તરાખંડ સરકાર દ્વારા દેવભૂમિના સંરક્ષણ અને ગૌવંશ સંવર્ધન માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો સંત સમાજ સમક્ષ રજૂ કરી. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં સનાતન ધર્મ અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર ગંભીર મંથન થયું. સંત સમાજે સર્વાનુમતે કેટલાક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કર્યા. પ્રથમ ઠરાવ ભારતીય ગૌવંશ સંરક્ષણ અંગે હતો, જેમાં દેશી ગાયના સંવર્ધન અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે દેશવ્યાપી જન-જાગરણ ચલાવવાનો નિર્ણય લેવાયો. બીજો ઠરાવ ગૌ-આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા સંબંધિત હતો. ખેડૂતોને રાસાયણિક ખાતરથી દૂર કરીને પંચગવ્ય આધારિત ખેતી તરફ વાળવાનો સંકલ્પ કરાયો. ત્રીજા ઠરાવમાં નશા મુક્તિ અભિયાન શરૂ કરવાની વાત હતી. યુવા પેઢીને ડ્રગ્સ અને વ્યસનના દુષણમાંથી બચાવવા "સનાતન સંસ્કાર યુવા અભિયાન" શરૂ કરવાનો નિર્ણય લેવાયો. ચોથો ઠરાવ પૂજ્ય સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જયંતીને રાષ્ટ્રીય સ્તરે ઉજવવા અંગેનો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો:ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન,આધુનિક કૃષિ પદ્ધતિઓથી અવગત કરાવાયા
    Next Article
    વરસાદ આવશે એટલે આ 108 જગ્યા પર પાણી ભરાશે, 108:અમદાવાદમાં કરંટ લાગવાના બનાવો વચ્ચે માત્ર 40% જ સ્ટ્રીટ લાઇટના થાંભલાની કામગીરી, ભૂવા પડે છે ત્યાં પુરાણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment