Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની શોભાયાત્રા:છાપરીયાથી મહેતાપુરા રામજી મંદિર સુધી, VHP દ્વારા તૈયારીઓ

    3 days ago

    હિંમતનગરમાં આવતીકાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરેથી શરૂ થઈ ટાવર ચોક થઈને મહેતાપુરા રામજી મંદિરે સમાપ્ત થશે. શોભાયાત્રાના સમાપન બાદ હનુમાન ચાલીસા અને સમૂહ આરતી યોજાશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, માતૃ શક્તિ અને દુર્ગાવાહિની, હિંમતનગર દ્વારા આયોજિત તથા હિંદુ સમાજ પ્રેરિત આ શોભાયાત્રા આવતીકાલે, ગુરુવારે બપોરે 3:30 કલાકે છાપરીયા રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રા છાપરીયા ચાર રસ્તા, જૂની જિલ્લા પંચાયત રેલવે ફાટક થઈને ટાવર ચોક પહોંચશે. ત્યાંથી તે નવા બજાર, ગાંધી રોડ થઈને ઇડર સ્ટેટ હાઈવે પર એસપી કચેરી, ન્યાય મંદિર અને મહેતાપુરા ઢાળ પસાર કરીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચશે. મહેતાપુરા રામજી મંદિરે સાંજે 7 કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમીની શોભાયાત્રાને અનુલક્ષીને શોભાયાત્રાના રૂટ પર ધજાઓ લગાવવામાં આવી છે. મહેતાપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન યુવકો દ્વારા સર્કલ સહિતના સ્થળો પર ધજાઓ લગાવીને તૈયારીઓ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની યુવતીએ અમદાવાદના પતિ અને સાસરીયા સામે ફરિયાદ:મારા સાસુ મને બાથરૂમમાં બંધ કરી દેતા, રૂમમાં CCTV લગાવ્યા, મારા પતિને બાળક નહીં કરવાનું પ્રેશર કરીને મારી સાથે શરીર સંબંધ બાંધવા દેતા નહોતા
    Next Article
    Dhurandhar 2 slammed as ‘too violent’ by international critics: ‘Hard to fathom why audiences are flocking to see all this horror’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment