Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલમાં તલાટીઓ સહી ન કરતા જાતિના દાખલા અટક્યા, અરજદારો પરેશાન:જાગૃત નાગરિકોએ મામલતદાર અને TDOને લેખિત રજૂઆત કરી

    20 hours ago

    ઉચ્છલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં જાતિના પ્રમાણપત્રો મેળવવામાં અરજદારો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. તલાટી-કમ મંત્રીઓ દ્વારા જાતિના દાખલાના ફોર્મ પર સહી કરવાનો ઇનકાર કરવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જાતિનું પ્રમાણપત્ર પ્રવેશ માટે અનિવાર્ય દસ્તાવેજ હોવાથી, તલાટીઓના હસ્તાક્ષર વિના વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ મેળવી શકતા નથી. આના કારણે ઘણા વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાનો ભય છે. આ મામલે ભુપેન્દ્રભાઈ વસાવા અને અર્જુનભાઈ ગામીત જેવા જાગૃત નાગરિકોએ ઉચ્છલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી છે. તેમણે તલાટી-કમ મંત્રીઓ સહી ન કરવાના કારણોની તાત્કાલિક તપાસની માંગ કરી છે. જો કોઈ ઉપરી અધિકારીના આદેશથી આ કામગીરી અટકાવાઈ હોય, તો તેનું કારણ જાહેર કરવા પણ રજૂઆત કરાઈ છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે સરકાર 'ડિજિટલ ઈન્ડિયા' અને સુશાસનની વાત કરે છે, પરંતુ પાયાના સ્તરે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વહીવટી અવ્યવસ્થાને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને અસર થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ATSએ 5 વધુ આતંકીઓ ઝડપ્યા:NEETમાં ગુજરાતનો ડંકો, વડોદરા-રાજકોટમાં દુર્ઘટનાઓ, રાજ્યમાં વરસાદી માહોલ
    Next Article
    GPSCની નવી પહેલ:સરકારી ભરતીમાં બાકી રહેલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં મળશે રોજગારીની તક, 'અવસર' મોડ્યુલ લોન્ચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment