Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદીના આહવાન બાદ ભરૂચ ST ડેપો સજ્જ:ઊર્જા બચત માટે કર્મચારીઓને ‘ઓપન હાઉસ’ દ્વારા માહિતગાર કરાયા

    1 सप्ताह पहले

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડીઝલ અને ઊર્જા બચતના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમે તેની ગંભીર નોંધ લીધી છે. આ અંતર્ગત ભરૂચ એસટી વિભાગે ઊર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓ અને આયોજન શરૂ કર્યું છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી ઊર્જા બચત અંગે વિશેષ સૂચનાઓ મળી છે. તેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરીને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું. છત્રીવાલાએ ઉમેર્યું કે, એક નાનો પ્રયાસ પણ ઊર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે. ડ્રાઈવરો પોતાના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઈવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ (KMPL) સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ છે. ડેપો મેનેજરે ડીઝલ બચતની ઝુંબેશના કારણે એસટીના રૂટ કે ટ્રિપો ખોરવાશે તેવી આશંકાઓને ફગાવી દીધી. તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલ પૂરતી બસોની ટ્રિપો પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય પણ નિયમિત છે. ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આયોજન કરાશે. ડેપો મેનેજરે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાંથી દોડતી એસટી બસોનો લોકો મહત્તમ ઉપયોગ કરે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારથી શહેરોમાં આવવા-જવા માટે લોકો પોતાના ખાનગી વાહનોનો ત્યાગ કરીને સરકારી પરિવહન સેવાનો લાભ લે. તેમણે ઉમેર્યું કે, જે ગામોમાં મુસાફરોની સંખ્યા ઓછી હોય છે, ત્યાં જો વધુ લોકો બસ સેવાનો લાભ લેશે, તો એસટી તંત્ર માટે તે રૂટ પર સેવાઓ ચાલુ રાખવી સરળ બનશે. આનાથી વ્યક્તિગત સ્તરે ઇંધણની બચત થશે અને દેશના ઊર્જા સંરક્ષણમાં પણ મોટો ફાળો આપી શકાશે.
    Click here to Read More
    Previous Article
    UGVCLની પરીક્ષા આપી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત:મોઢેરા-વિજાપુરડા હાઈવે પર બે મિત્રોની મોટરસાયકલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ, એક ઇજાગ્રસ્ત
    Next Article
    LCBએ બાજરી અને ચોખાની આડમાં લવાતો ₹1 કરોડનો દારૂ ઝડપ્યો:પાંથાવાડા નજીક રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો 16092 બોટલ દારૂ જપ્ત, એક બુટલેગર પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment