Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાયા, ટ્રેનો અટકી:વલસાડમાં અટવાયેલા મુસાફરો માટે સાંસદે ST બસની વ્યવસ્થા કરી

    9 hours ago

    પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આના પરિણામે, અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી. અચાનક ટ્રેનો અટકી પડતાં મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, લઘુમતી મોરચાના પ્રદેશ મંત્રી ઇલ્યાસ મલેક અને મહામંત્રી કમલેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પટેલે અટવાયેલા મુસાફરોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે તાત્કાલિક ધોરણે એસટી બસની વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત, મુસાફરોને પીવાના પાણી સહિતની જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી હતી. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિમાં મુસાફરોને રાહત આપવા માટે સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમા ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
    Next Article
    એલ.જી. હોસ્પિટલમાં સ્ટાફની ગંભીર બેદરકારી:પડી જવાથી હાટકેશ્વરના સ્થાનિકને માથામાં 2 ઇંચ જેટલો ઉંડો ઘા પડ્યો, હોસ્પિટલ સ્ટાફ ઉંઘતો રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment