Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામમય' ભક્તિમાં લીન બન્યું:રામ મહેલમાં દિવ્ય આરતીમાં SPએ પૂજા અને આરતીમાં લાભ લીધો, લોકોએ શ્રીખંડ તથા મઠો ખાઈ ઉજવણી કરી

    1 day ago

    મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે આજે ગોહિલવાડની સાંસ્કૃતિક નગરી ભાવનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના સુપ્રસિદ્ધ શ્રી રામ મહેલ ખાતે બપોરે ભગવાન રામલલ્લાની દિવ્ય અને ભવ્ય આરતી યોજાઈ હતી, આરતીમાં ભાવનગરના એસ.પી પરિવાર સાથે આરતી અને પૂજાનો લાભ લીધો હતો. સાંજે 4થી 5 વાગ્યા આસપાસ રામ મહેલથી ભગવાનની દિવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે ​આ વર્ષે રામનવમી નિમિત્તે રામલલ્લાનો વિશેષ શણગાર અલ્પેશભાઈ પ્રવીણભાઈ કુકડિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પવિત્ર પ્રસંગે ભાવનગરના નવા ડી.એસ.પી. ડો.નિતેષ પાંડયેએ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાનની આરતીનો લાભ લીધો હતો. મંદિર તરફથી કુકડિયા પરિવાર અને ડી.એસ.પી.ને આશીર્વાદ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, બપોર બાદ ​સાંજે 4થી 5 વાગ્યાના સુમારે રામ મહેલથી ભગવાનની દિવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ વર્ષે રામનવમીની ઉજવણી બે દિવસ જેવી રહી છે દવે મીઠાઈવાળા કિશનભાઈ એ જણાવ્યું હતું કે, અમારી 100 વર્ષ જૂની પેઢીનો અનોખો અનુભવ છે, જેમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ લોકોમાં રામનવમીનો ઉત્સાહ અનેરો વધ્યો છે, ભાવનગરની પ્રજા નવ નોરતાના ઉપવાસ બાદ રામનવમીના દિવસે શ્રીખંડ, મઠો, ફરાળી ચેવડો અને વેફર જેવી વાનગીઓ સાથે ઉત્સવની ઉજવણી કરી રહી છે, તિથિના ફેરફારને કારણે આ વર્ષે રામનવમીની ઉજવણી બે દિવસ જેવી રહી છે, સરકારી રજા અને તિથિ મુજબના તફાવત છતાં, લોકોમાં ભક્તિ અને ખાણી-પીણીનો ઉત્સાહ અકબંધ રહ્યો છે સમગ્ર ભાવનગર હાલ રામમય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    'અધ્યાપકે પેપર લેતા સમયે હાથ પકડ્યો', અમદાવાદમાં PTCની વિદ્યાર્થિનીની છેડતી:શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયે 4 દિવસ પગલાં ના લેતા વાલીની DEOને ફરિયાદ, હવે સંસ્થાએ આરોપીને સસ્પેન્ડ કર્યો
    Next Article
    ખજોદ ડમ્પિંગ સાઈટમાં ચોથા દિવસે પણ આગ યથાવત:કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે ફરી આગની શક્યતાઓ, ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment