Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાતના ક્યા જિલ્લામાં દારુ બનતો, વેચાતો કે પીવાતો નથી?':વિક્રમ માડમની તમામ SPને ઓપન ચેલેન્જ, ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાતભરમાં કોંગ્રેસનો હલ્લાબોલ

    14 hours ago

    ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના કરૂણ મોત અને 45થી વધુ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની હૃદયદ્રાવક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં બેફામ ચાલતા નશાના કારોબાર સામે વિપક્ષ કોંગ્રેસે રાજ્યવ્યાપી મોરચો માંડ્યો છે. જામનગર, મહેસાણા, જૂનાગઢ, પાટણ, અમદાવાદ, વડોદરા, ભાવનગર અને વાવ-થરાદ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણાં, સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન યોજીને ગૃહમંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી છે, જેને પગલે પોલીસે અનેક સ્થળોએ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. જામનગરમાં વિક્રમ માડમની તમામ SP અને ગૃહમંત્રીને ખુલ્લી ચેલેન્જ જામનગરના લાલ બંગલા પરિસરમાં આયોજિત ધરણાં પ્રદર્શન દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વિક્રમ માડમે સરકાર અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહમંત્રી, ડીજીપીથી લઈને તમામ જિલ્લાના SPને ઓપન ચેલેન્જ ફેંકતા જણાવ્યું હતું કે, જેમનામાં શક્તિ હોય તે કહી બતાવે કે તેમના જિલ્લામાં દારૂ બનતો, વેચાતો કે પીવાતો નથી. તેમણે દાવો કર્યો હતો કે, આ બનાવમાં 900 લોકોએ દારૂ લીધો હોવાની માહિતી છે અને ગાંધીના ગુજરાતમાં ગલીએ-ગલીએ ખુલ્લેઆમ હોમ ડિલિવરી થઈ રહી છે. ગરીબ પરિવારોના એકના એક દીકરાઓ મોતને ભેટે ત્યારે તંત્રની આંખો કેમ ઉઘડતી નથી તેવો વેધક સવાલ ઉઠાવી તેમણે કડક અમલવારીની માંગ કરી હતી. ભાવનગરમાં જીગ્નેશ મેવાણીના ગંભીર આક્ષેપ, ગૃહમંત્રીના રાજીનામાની માંગ ભાવનગરમાં સામે આવેલા કથિત લઠ્ઠાકાંડમાં શંકાસ્પદ મૃત્યુ અને લોકોના હોસ્પિટલાઈઝેશન મુદ્દે કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડી ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માંગ કરી છે, જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં એક સુવ્યવસ્થિત ષડયંત્ર હેઠળ મંદિરો, કલેક્ટર કચેરીઓ અને એસપી બંગલા જેવા સંવેદનશીલ વિસ્તારો નજીક પણ ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં જનાક્રોશ રેલી બાદ કોંગ્રેસ એક વર્ષથી આંદોલન ચલાવી રહી હોવા છતાં દૂષણ ડામવાને બદલે અવાજ ઉઠાવનારાઓ સામે કાર્યવાહી થાય છે અને દર વખતે આવી દુર્ઘટનાઓમાં માત્ર નાના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવાય છે જ્યારે એસપી કે આઈજી જેવા ઉચ્ચ અધિકારીઓની તપાસ કરાતી નથી, જેથી જો હવે અસરકારક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની પૂરી શક્યતા છે. વડોદરામાં બેનર્સ-પ્લેકાર્ડ્સ સાથે સરકાર સામે કાર્યકરોનો વિરોધ વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના નેતૃત્વમાં ગાંધીનગર ગૃહ ખાતે વિશાળ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ બેનરો-પ્લેકાર્ડ્સ સાથે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા; આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ દારૂબંધીના કડક અમલમાં ગૃહ વિભાગની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી અને સત્તાધારી પક્ષ દ્વારા બુટલેગરો તેમજ અસામાજિક તત્વોને આશ્રય અપાતો હોવાના ગંભીર આક્ષેપો સાથે "ડ્રગ્સ માફિયા કહા મિલેંગે, બીજેપી કે દફતર મેં" જેવા ઉગ્ર નારા લગાવી ચીમકી આપી હતી કે જો પીડિતોને ન્યાય નહીં મળે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. અમદાવાદમાં બેનરો-પ્લેકાર્ડ્સ સાથે રસ્તો રોકીને કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા લાલ દરવાજા સ્થિત સરદાર બાગ ખાતે આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જ્યાં કાર્યકરોએ "બુટલેગર જનતા પાર્ટી" જેવા લખાણવાળા બેનરો-પ્લેકાર્ડ્સ સાથે રસ્તો રોકીને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ખુલ્લેઆમ ઘૂસતા નશાના કારોબાર મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની તેમજ માત્ર નાના કર્મચારીઓને બદલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં ભરી સમગ્ર મામલે SIT દ્વારા તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જોકે વિરોધ પ્રદર્શન માટે મંજૂરી ન હોવાનું જણાવી પોલીસે ઘટનાસ્થળેથી કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને સામૂહિક અટકાયત કરી હતી. મહેસાણામાં ટાઉનહોલ ખાતે ધરણાં અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટાઉનહોલ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા અમિત પટેલે આક્ષેપ કર્યો હતો કે, ગાંધી અને સરદારની ભૂમિ પર દારૂ, ડ્રગ્સ અને ચરસનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, જેનાથી યુવાધન અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે. બુટલેગરોને મોકળું મેદાન મળી જતાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગઈ હોવાથી ગૃહમંત્રી હર્ષ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે એવી માંગ કરાઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી બસમાં ભરીને લઈ ગઈ હતી. જૂનાગઢમાં પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત જૂનાગઢમાં શહેર પ્રમુખ મનોજ જોશી અને જિલ્લા પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મૌન ધરણાં અને સૂત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, સરહદો પર ચુસ્ત ચેકિંગના દાવા વચ્ચે આટલી મોટી માત્રામાં કેમિકલ અને ઝેરી દારૂ પહોંચવો એ તંત્ર અને અધિકારીઓની મિલીભગત દર્શાવે છે. જોકે, કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક પોલીસે આક્રમક વલણ અપનાવી તમામ આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરી બી-ડિવિઝન પોલીસ સ્ટેશને ખસેડ્યા હતા. પાટણમાં આવેદનપત્ર આપવા જતાં 20થી વધુ કાર્યકરો ડિટેઈન પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજીને દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડા તાબડતોબ બંધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં જનતા રેડ કરવામાં આવશે. ધરણાં પૂર્ણ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહેલા 20થી વધુ આગેવાનો અને કાર્યકરોની કલેક્ટર કચેરી પરિસરમાંથી જ પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વાવ-થરાદમાં ચક્કાજામ થરાદ કલેક્ટર કચેરી સામે વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં કાર્યકરોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઘટના બને ત્યારે થોડા દિવસ દેખાડો કરાય છે પરંતુ કાયમી પગલાં લેવાતા નથી, જેથી સરકારે નૈતિક જવાબદારી સ્વીકારી જવાબદારો સામે દાખલારૂપ કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આ પણ વાંચો - લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR:નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 7ના મોત-2 ગંભીર
    Click here to Read More
    Previous Article
    Rajasthan Girls' College Principal Apologises After Massive Protest Over "Misbehaviour" With Student
    Next Article
    પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન ઘેર્યું:મહેસાણામાં ડૉ. ચાંદની પટેલ કેસમાં એકતરફી કાર્યવાહીના આક્ષેપ, 'ફરિયાદ નહીં લેવામાં આવે તો મોટું આંદોલન કરીશું'; લોકદરબાર રદ કરવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment