Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ચકલી દિવસે બનાસકાંઠામાં પક્ષીઘર-કુંડાનું વિતરણ:જિલ્લાના દરેક તાલુકામથકે 10 હજાર વસ્તુઓ અપાશે

    6 days ago

    વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા પાલનપુર ખાતે પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની શરૂઆતમાં અબોલ પંખીઓને દાણા-પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમ નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલના હસ્તે યોજાયો હતો. જેમાં હોમગાર્ડઝની બહેનો, કલેક્ટર કચેરીના કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલીઘર અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલે જીવદયાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. સમિતિ દ્વારા જિલ્લાના દરેક તાલુકામથકે આવા કાર્યક્રમો થકી અંદાજે 10 હજાર જેટલા માળા, પક્ષીઘર અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અંગે ડો.ગણેશભાઈ પટલે જણાવ્યું હતું કે ' 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ. ચકલીની ઘટતી જતી વસ્તીને નિયંત્રણ કરવા માટે અને એનો વસ્તી વધારો કરવા માટે, એની સંખ્યા વધારવા માટે SPCA મારફતે અમે છેલ્લા 2010માં SPCA ની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ લગીને દર વર્ષે બર્ડ ફીડર, પાણીના કુંડા, ચકલીના માળા એનું અમે રેગ્યુલર રીતે વિતરણ કરીએ છીએ. બનાસકાંઠાના દરેક તાલુકા મથકે, આજના કલેકટર ઓફિસથી શરૂઆત કરીએ છીએ બનાસકાંઠા અને જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર ઓફિસે આ રીતના કાર્યક્રમો કરી અને લગભગ દર વર્ષે 10,000 જેટલા યુનિટનું અમે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. અને આજે જે શહેરીકરણ વધી રહ્યું છે અને ચકલીની જે વસ્તી ઘટતી રહી છે એને ઉપયોગી થાય અને પર્યાવરણ પણ સારું થાય, એનું જતન થાય, પ્રકૃતિનું જતન થાય એ માટેના અમારા SPCAના અમારા પદાધિકારીઓ, અમારા ઉપપ્રમુખ, અમારા સભ્યઓ અને કલેકટર ના માધ્યમથી અમે આ બધાનું વિતરણ કરીએ છીએ.'
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો:23 માર્ચે પ્રાથમિક મતદારયાદી જાહેર, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતો માટે નવું સીમાંકન પૂર્ણ
    Next Article
    Jalukbari: How Himanta Biswa Sarma's 25-Year Fortress Stays Unshakeable

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment