Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર શરૂ:જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ-સંસ્કૃતિ પર ચર્ચા, 250 વિદ્યાર્થીઓ જોડાયા

    9 hours ago

    ગોધરા તાલુકાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. "જમ્મુ અને કાશ્મીરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સાતત્ય" વિષય પર આયોજિત આ સેમિનારમાં 250થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ સેમિનારનું આયોજન ગાંધીનગર સ્થિત ગુજરાત જ્ઞાન સંઘ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સંશોધકોને જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકીય પરિસ્થિતિ વિશે વિસ્તૃત સમજ આપવાનો છે. સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે GPSCના પૂર્વ ચેરમેન અને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના જનરલ સેક્રેટરી હસમુખભાઈ જોશી તથા દિલ્હી સ્થિત જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર આશુતોષ ભટનાગર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રથમ દિવસના સત્ર દરમિયાન નિષ્ણાતોએ જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન સમયથી વર્તમાન સુધીના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં જમ્મુ અને કાશ્મીરનું યોગદાન, તેની સાંસ્કૃતિક પરંપરા અને સામાજિક વિકાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્તમાન રાજકીય સ્થિતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશના વિકાસમાં તેની ભૂમિકા વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર આશુતોષ ભટનાગરે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. ત્યાંની સંસ્કૃતિ, પરંપરા અને પ્રાચીન ઇતિહાસ વિશે યુવાનોમાં યોગ્ય માહિતી પહોંચવી સમયની માંગ છે. આવા સેમિનારો દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રવૃત્તિ વિકસે છે અને દેશના વિવિધ પ્રદેશો વિશે વધુ સમજ વિકસે છે. આ કાર્યક્રમમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં લગભગ 50 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. બે દિવસ સુધી ચાલનારા આ રાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ વિષયો પર નિષ્ણાતોના વ્યાખ્યાનો, ચર્ચા સત્રો અને સંશોધન પેપરોની રજૂઆત યોજાશે.
    Click here to Read More
    Previous Article
    પતિ અને તેના મિત્રએ ગાળો ભાંડી:'તું મારી દીકરીને મૂકીને ચાલી ગઈ છો, મને તેના ડોક્યુમેન્ટ જોઈએ છે, તને જીવવા નહીં દવ' કહીં માવતરે રહેતી શિક્ષિકાને ધમકી આપી
    Next Article
    Son booked for assaulting 75-year-old mother during property dispute in Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment