Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં વિશ્વ ડ્રગ્સ વિરોધી દિન અંતર્ગત જાગૃતિ અભિયાન:પોલીસ મહાનિરીક્ષક અને SPના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાયા

    16 hours ago

    ગીર સોમનાથ પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. માદક દ્રવ્યોના દુષણ અંગે જનજાગૃતિ ફેલાવવા અને સમાજમાં નશામુક્તિ લાવવાના ઉદ્દેશ્યથી, ૨૬ જૂનના રોજ "માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકરાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષકજયદીપસિંહ જાડેજાએ સૂચનાઓ આપી હતી.આ સૂચનાના અનુસંધાને, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, ૨૬ જૂન, ૨૦૨૪ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પો.સબ.ઇન્સ. આર.એચ. સુવાએ વિવિધ પોલીસ સ્ટેશનોના ઇન્સ્પેક્ટરો સાથે સંકલન કર્યું હતું. જેમાં વેરાવળ સિટી, પ્ર. પાટણ, તાલાળા, કોડીનાર, ઉના અને નવાબંદર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો જોડાયા હતા. એસ.ઓ.જી. સ્ટાફ અને પોલીસ સ્ટેશનની ટીમોએ ગીર સોમનાથ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાઓ, સરકારી કચેરીઓ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ પોસ્ટરો અને બેનરો લગાવી રેલીઓ કાઢી હતી. આ કાર્યક્રમો દ્વારા લોકોને નાર્કોટિક્સની બદી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ અભિયાનમાં નાર્કોટિક્સ ડ્રગ્સના જાળમાં ફસાયેલા લોકોને તેમના પુનર્વસન (રીહેબિલિટેશન) માટે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, નાર્કોટિક્સ પદાર્થના હેલ્પલાઇન નંબર ૧૯૦૮ વિશે સમજણ આપી, માદક પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી, જેથી ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓને ડામી શકાય.
    Click here to Read More
    Previous Article
    ખુંટલીમાં કન્યા છાત્રાલય-શાળા પરિસરનું લોકાર્પણ કરાયું:મંત્રી નરેશ પટેલે કહ્યું-'આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણ સૌથી મોટું સાધન'
    Next Article
    અમરનાથ યાત્રા માટે 90 સેવાદાર રવાના:વડોદરા સ્ટેશન 'બમ બમ ભોલે'ના નાદથી ગુંજી ઉઠ્યું, અલગ અલગ ત્રણ સ્થળો પર સેવા આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment