Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરનાથ યાત્રા માટે 90 સેવાદાર રવાના:વડોદરા સ્ટેશન 'બમ બમ ભોલે'ના નાદથી ગુંજી ઉઠ્યું, અલગ અલગ ત્રણ સ્થળો પર સેવા આપશે

    15 hours ago

    સંસ્કારીનગરી વડોદરાની સેવાભાવનાની સુવાસને અમરનાથ યાત્રા દરમિયાન સમગ્ર કાશ્મીરમાં રેલાવતા 'માં શિવાની રંગ અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા આ વર્ષે પણ યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ત્રીસ વર્ષથી ચાલતી આ અવિરત સેવા માટે આજે વડોદરા છાયાપુરી રેલવે સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસમાં 90 જેટલા સેવાદારો સાથે આજે આ સેવા આપવા માટે આજે રવાના થયા હતા. યાત્રા દરમિયાન ત્રણ સ્થળો પર કેમ્પ યોજશે વડોદરા અને ગુજરાતની એકમાત્ર આ ગ્રુપ અમરનાથ યાત્રા દરમ્યાન છેલ્લા 29 વર્ષથી નિઃશુલ્ક ભંડારાનું આયોજન કરે છે અને આ 30 વર્ષે પણ ભવ્ય આયોજન કર્યું છે. જમ્મુ કાશ્મીરના ચંદનવાડી, બબલટોપ અને બાલટાલ પર ત્રણ કેમ્પ દ્વારા સત્તત સેવા આપવામાં આવી રહી છે. આજે વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે આ ટ્રસ્ટના આગેવાનો અને પૂર્વ સાંસદ રંજન ભટ્ટની ઉપસ્થિતિમાં આખી સેવાદારોની ટીમ રવાના થઈ હતી. છેલ્લા 29 વર્ષથી ચાલી રહ્યો છે સેવાયજ્ઞ જમ્મુ કાશ્મીરના અમરનાથ યાત્રાના રૂટ પર છેલ્લા 29 વર્ષોથી સતત ચાલી આવતી આ સેવાકીય પરંપરાને વધુ ભવ્ય બનાવવા માટે, આ વર્ષે ટ્રસ્ટ 30માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા યાત્રાની શરૂઆતથી લઈને અંત સુધીની તમામ પ્રકારની સુવિધાઓ યાત્રાળુઓને પૂરી પાડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં વિશ્વ ડ્રગ્સ વિરોધી દિન અંતર્ગત જાગૃતિ અભિયાન:પોલીસ મહાનિરીક્ષક અને SPના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાયા
    Next Article
    Persistent Systems To Acquire Nagarro, Eyes $2.9 Billion IT Powerhouse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment