Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCએ માત્ર કોંગ્રેસના જ ઝંડા હટાવ્યા?:ભાજપના ઝંડા યથાવત હોવાના આક્ષેપ સાથે કાશીનગરમાં હંગામો, વિપક્ષને નિશાન બનાવતા હોવાનો આક

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના રાજકીય તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉધના વિસ્તારમાં કાશીનગર મેન રોડ પર આજે મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહીએ વિવાદ છેડ્યો છે. આચાર સંહિતાના અમલીકરણ વચ્ચે માત્ર વિરોધ પક્ષના પ્રચાર-પ્રસારના સાધનો દૂર કરાતા લોકશાહીના મૂલ્યો અને તંત્રની તટસ્થતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મળતી વિગતો અનુસાર, કાશીનગર મુખ્ય રોડ પર કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારના ભાગરૂપે પક્ષના ઝંડા અને બેનરો લગાવવામાં આવ્યા હતા. આજે સવારના સમયે મહાનગરપાલિકાના દબાણ વિભાગનો કાફલો અચાનક સ્થળ પર પહોંચ્યો હતો અને રસ્તાની આસપાસ લાગેલા તમામ કોંગ્રેસના ઝંડાઓ ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સરકારી તંત્રના દૂરુપયોગનો આરોપ ઝંડા હટાવવાની કામગીરીની જાણ થતા જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉધના કાશીનગર મેન રોડ પર એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ તંત્રની આ કામગીરીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણીમાં હારના ડરથી સત્તાધારી પક્ષ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. આચાર સંહિતા તમામ પક્ષો માટે સમાન હોવી જોઈએ, પરંતુ અહીં તંત્ર માત્ર વિપક્ષને નિશાન બનાવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે, જો આચાર સંહિતાનો ભંગ થતો હોય, તો ભાજપના ઝંડા કેમ હટાવવામાં આવ્યા નથી? શું દબાણ વિભાગને માત્ર કોંગ્રેસના જ ઝંડા દેખાય છે? તટસ્થ ચૂંટણીની ખાતરી આપતું તંત્ર કોના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે? કાર્યાલયનું ઉદ્ધાટન હોવાથી ઝંડા લગાવ્યા હતા કોંગ્રેસના કાર્યકર કુનાલ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગઈ કાલે રાત્રે 1 વાગ્યે 120 ફૂટ બમરોલી રોડ પર જે આશાપુરી ત્રણ રસ્તાથી વેલકમ પાન સેન્ટર તરફ જવાય તે રસ્તા ઉપર કોંગ્રેસ પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવેલા હતા. કાર્યાલયનું એ રોડ પર ઉદ્ઘાટન હોવાથી ઝંડા લગાવવામાં આવ્યા હતા અને જેની આગળની પરવાનગીઓ અમે લેવાની બધી આજે સવારથી નક્કી એવા પ્લાનિંગમાં હતા. ‘ભાઈ અમને ઉપરથી ઓર્ડર છે’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઈ કાલ રાતથી જ એ લોકોને ખબર પડી ગઈ કે કોંગ્રેસ પાર્ટી ખૂબ જ સક્રિય રીતે વોર્ડ નંબર 24માં કામગીરી કરી રહી છે. અને તેના ડરથી તે લોકોએ આજે મહાનગરપાલિકાની ટીમને મોકલી આજે સવારે 8 વાગ્યાથી એ લોકોએ ઝંડા કાઢવાની કામગીરી કરી. એ લોકોએ અમને કહ્યું કે ભાઈ અમને ઉપરથી ઓર્ડર છે, સાહેબે અમને કીધું છે કે આ ઝંડા કાઢવાના છે એટલે અમે આજ રોજ ઝંડા કાઢી રહ્યા છે. કુનાલ સૂર્યવંશીએ વધુમાં જણાવ્યું હતું કે 50થી 100 મીટરના અંતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લાગેલા છે, જે છેલ્લા 10 દિવસથી લાગેલા છે. ચાલો સાથે સાથે એ ઝંડાઓને પણ દૂર કરો. તો એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ એ અમારા રૂટમાં અત્યારે આવતું નથી. કોંગ્રેસના ઝંડા એક તાનાશાહીના સ્વરૂપે, લોકશાહીના હનનના સ્વરૂપે, વિરોધ પક્ષને ટકાવવાના સ્વરૂપે કોંગ્રેસના ઝંડા આજે સંપૂર્ણ રીતના આ વિસ્તારમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    SRP કોન્સ્ટેબલ બન્યો બુટલેગર:લીંબડી નજીક સપ્લાયર દારૂનો જથ્થો આપી ગયા બાદ પોતાની કારમાં રાજકોટ લાવ્યો'તો, છેલ્લા એક વર્ષથી નોકરીમાં ગેરહાજર હતો
    Next Article
    The Malacca Gambit: How China Oil Choke Strategy Could Backfire On Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment