Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અપાશે:હાઈકોર્ટની ફટકાર બાદ SMC હરકતમાં; ભરીમાતા કોમ્યુનિટી હોલ બનશે હંગામી આશ્રયસ્થાન

    3 days ago

    સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશન મામલે એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે આકરૂ વલણ અપનાવી સુરત મહાનગરપાલિકાના તંત્રને જોરદાર ફટકાર લગાવવામાં આવી હતી. હાઈકોર્ટની આ કડક ટીપ્પણી બાદ આખરે ઊંઘતું ઝડપાયેલું પાલિકા પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને ડિમોલિશનના કારણે ઘરવિહોણા બનેલા અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક અને હંગામી વસવાટની વ્યવસ્થા કરવાનો મહત્વનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટની ફટકાર બાદ કોર્પોરેશનની અધિકારીઓ દોડતાં થયાં નાસીરનગર ડિમોલિશનની આ સમગ્ર ઘટના બાદ અસરગ્રસ્તો ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા, જેને પગલે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટની ફટકાર પડતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી.ડી. પટેલે મોરચો સંભાળ્યો હતો. તેમણે એક સત્તાવાર હુકમ બહાર પાડીને જણાવ્યું છે કે, ડિમોલિશન પ્રક્રિયાથી પ્રભાવિત થયેલા તમામ નાગરિકોને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. કોઈપણ પરિવાર આકરી ગરમી કે મુશ્કેલ પરિસ્થિતિમાં આશ્રય વગર ન રહેવો જોઈએ તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભરીમાતા કોમ્યુનિટી હોલ બનશે હંગામી આશ્રયસ્થાન પાલિકાના આદેશ અનુસાર, નાસીરનગર ડિમોલિશનના તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વસવાટ આપવા માટે સુરતના ભરીમાતા કોમ્યુનિટી હોલની પસંદગી કરવામાં આવી છે. આ હોલ ખાતે તમામ પીડિત પરિવારો માટે હંગામી ધોરણે રહેવા તેમજ ખાવા-પીવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની કવાયત્ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ દ્વારા તાકીદની સૂચના આપવામાં આવી છે કે ડિમોલિશન સાઇટ પરથી લોકોને સુરક્ષિત અને સન્માનજનક રીતે આ કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવામાં આવે. તમામ પ્રાથમિક સુવિધાઓ આપવા વહીવટી તંત્રને તાકીદ કોમ્યુનિટી હોલમાં માત્ર આશ્રય જ નહીં, પરંતુ ત્યાં રહેનારા નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ કડક આદેશો જારી કરાયા છે. ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી.ડી. પટેલના હુકમ મુજબ ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે આસપાસના ભાગમાં પૂરતી લાઈટોની વ્યવસ્થા. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્તો માટે પૂરતી સંખ્યામાં પંખા ચાલું કરવા. તમામ પરિવારો માટે પીવાના તેમજ વપરાશના પાણીની ટેન્કરો અને નળની વ્યવસ્થા. મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ શૌચાલયની સફાઈ અને સુવિધા આપવા તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર LCBએ બકરાની ચોરીનો ભેદ ઉકેલ્યો:6 બકરાની ચોરી કરનાર બે આરોપીને XUV ગાડી સાથે ઝડપી લીધા
    Next Article
    18 પ્રમોટેડ IAS અધિકારીઓને ઇન-સીટુ પોસ્ટિંગ:GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બી.કે. જોશીની નિમણૂક, જાણો કોને ક્યાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment