Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:SG હાઈ‌વે પર બસથી બેરિકેડ તૂટીને રિક્ષા પર પડતાં એક પેસેન્જરનું મૃત્યુ

    14 hours ago

    કર્ણાવતી કલબ બહાર નવા ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ હોવાથી ઠેર ઠેર લોખંડની બેરીકેડ કરવામાં આવી છે. જો કે ઠાકરધણી ટી સ્ટોલ પાસેથી બસ પૂર ઝડપે પસાર થતા લોખંડની બેરિગેટ બસના પાછળના ભાગે અથડાઈને તૂટી હતી. જો કે આ બેરિગેટ પાછળ આવી રહેલી રિક્ષા ઉપમગેટ બિલ્ડિંગની પાસેના ઠાકરધણી ટી સ્ટોલ પાસે રવિવારે સવારે એક રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર 2 પેસેન્જર અને ssચાલક ઈજાગ્રસ્ત થયા હતા. જેથી રાહદારીઓએ આ અંગે 108 ના જાણ કરતા એમ્બ્યુલન્સ આવી હતી. જો કે ઈજાગ્રસ્ત પૈકી એક પેસેન્જર અજય આનંદી મહતો(46)( વૈષ્ણોદેવી સર્કલ) નું મૃત્યુ થયુ હતુ. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસ આવી પહોંચી હતી. પીઆઈ એલ.એલ.ચાવડા એ જણાવ્યું હતુ કે રીક્ષાની આગળ બસ જઈ રહી હતી. જો કે બસ સ્પીડમાં નીકળી ત્યારે બસનો પાછળનો ભાગ લોખંડની બેરીકેડ સાથે અથડાયો હતો. જેથી બેરિકેડ તુટીને રીક્ષા ઉપર પડતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષાચાલક અને એક પેસન્જર ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે અજય મહતોનું મૃત્યુ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયાની અપીલ બની આશીર્વાદ:અનાથ દીકરીના લગ્નમાં સહાનુભૂતિનો સાગર
    Next Article
    ઠગાઈ કરનારા ઝડપાયા:રોકાણના બહાને 73 લાખ પડાવી લેનારા સુરતના જમીન દલાલ સહિત 4 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment