Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ભાજપ SC મોરચા પ્રમુખ નારાયણ પરમારનું નિધન:62 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન, સંગઠનમાં શોક

    14 hours ago

    પંચમહાલ જિલ્લા ભાજપ એસ.સી. મોરચાના પ્રમુખ નારાયણભાઈ પરમારનું 62 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ગોધરા તાલુકાના સામલી ગામના વતની પરમારના અવસાનથી જિલ્લા ભાજપ સંગઠન અને ગામમાં શોક વ્યાપી ગયો છે. નારાયણભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતા. તેઓ સતત ત્રણ ટર્મ એટલે કે 15 વર્ષથી પંચમહાલ જિલ્લા ભાજપ એસ.સી. મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમણે પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં અને કાર્યકરો સાથે સંપર્કમાં રહીને સંગઠનાત્મક કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના અચાનક અવસાનના સમાચારથી ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં શોકની લાગણી પ્રસરી છે. નારાયણભાઈ પરમારના અવસાન અંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 'નારાયણભાઈ પરમારના નિધનથી જિલ્લા ભાજપ સંગઠનને એક નિષ્ઠાવાન અને સક્રિય નેતાની મોટી ખોટ પડી છે. '40 વર્ષ સુધી પક્ષની સેવા કરનાર નારાયણભાઈ પરમારના નિધનથી સામલી ગામ તેમજ સમગ્ર પંચમહાલ ભાજપ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    LICના અનક્લેઇમ્ડ બેલેન્સ કૌભાંડ:સુરેન્દ્રનગર B ડિવીઝન પોલીસે ભાવનગરથી 2 આરોપીને ઝડપ્યા
    Next Article
    જવાહર મેદાનમાં 2થી 4 સપ્ટેમ્બર સુધી લોકમેમેળો યોજાશે:30 હજાર બાળકોને ફ્રી રાઈડનો લાભ મળશે, સખી મંડળની બહેનોને ફ્રી સ્ટોલ મળશે, કલાકારો જમાવશે રંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment