Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIનો દાવો-લોન અને EMI ફરી મોંઘી થશે:RBI 0.50% સુધી રેપો રેટ વધારી શકે છે, ક્રૂડ ઓઇલ 100 ડોલર પાર થવાથી મોંઘવારી વધશે

    6 hours ago

    આવનારા દિવસોમાં તમારી હોમ લોન અને કાર લોન મોંઘી થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં વધારો કરી શકે છે. રિપોર્ટ મુજબ, RBI ઓક્ટોબરની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25% વધારી શકે છે, ત્યારબાદ ડિસેમ્બરમાં પણ આટલો જ વધારો કરી શકે છે. એટલે કે 0.50% સુધી રેપો રેટ વધી શકે છે. હાલમાં ઓગસ્ટમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં RBIએ રેપો રેટને સતત ચોથી વખત 5.25% પર સ્થિર રાખ્યો હતો. જોકે, હવે 5 થી 7 ઓક્ટોબર વચ્ચે યોજાનારી આગામી MPC બેઠકમાં દરો વધારવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. SBIનો દાવો: મોંઘવારીના કારણે રેપો રેટ વધારવો જરૂરી 1. ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે અને તેના $105-$123 સુધી પહોંચવાની આશંકા છે. 2. મોંઘવારીનો વ્યાપ વધ્યો: દેશમાં મોંઘવારીનો વ્યાપ સતત વધી રહ્યો છે. CPI એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 90% હિસ્સેદારી ધરાવતી આવશ્યક ચીજવસ્તુઓની સંખ્યા જાન્યુઆરી 2026માં 22 હતી, જે જુલાઈ સુધીમાં વધીને 53 થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ, દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ બનાવવાનો ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર જનતાના ખિસ્સા પર પડી રહી છે. 3. RBIને સલાહ: રિપોર્ટમાં મોંઘવારી પર અંકુશ લગાવવા માટે RBIને રેપો રેટ વધારવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય અમેરિકી નીતિઓથી નહીં, પરંતુ દેશની આંતરિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે? RBIના રેપો રેટમાં કોઈપણ ફેરફારની સીધી અસર દેશના કરોડો દેવાદારો અને બેંકમાં પૈસા જમા કરાવનારા FD રોકાણકારો પર પડે છે: ₹50 લાખની હોમ લોન પર કેટલી EMI વધશે? ધારો કે તમે ₹50 લાખની હોમ લોન 20 વર્ષ માટે 8.25%ના ફ્લોટિંગ વ્યાજ દરે લીધી છે. રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે? રેપો રેટ મોંઘવારી સામે લડવાનું ટુલ છે. જ્યારે મોંઘવારી વધુ હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક તેને વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો કરવાનો પ્રયાસ કરે છે. પોલિસી રેટ વધુ હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટે છે. નાણાંનો પ્રવાહ ઓછો થવા પર માંગ ઘટે છે અને મોંઘવારી ઓછી થઈ જાય છે. જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે મની ફ્લો વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય ક્રિકેટના 94 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અનોખી સિરીઝ:દિલ્હીમાં મેચ છતાં ટીમ ઇન્ડિયા વિદેશી હશે, પિચ પણ અફઘાન ટીમ નક્કી કરશે
    Next Article
    અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે મકાન ધરાશાયી:માતા-પુત્રીને બચાવવા ફાયરનું રેસ્ક્યૂ ઓપરેશન, દીવના દરિયાકાંઠે 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા; સુરત સહિત 4 જિલ્લામાં આજે રેડ એલર્ટ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment