Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં એન્જિનિયર સાથે ₹25.86 લાખની છેતરપિંડી:શેરબજારમાં રોકાણના નામે સોશિયલ મીડિયા દ્વારા ઠગાઈ, સાયબર ક્રાઈમ પોલીસનો તપાસનો ધમધમાટ

    16 hours ago

    જામનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એક એન્જિનિયર યુવાન સાથે 25.86 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. AI જાહેરાતો દ્વારા બિછાવવામાં આવી જાળ શહેરની એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કમલેશ મહેશભાઈ તિર્થાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ છેતરપિંડી 28 એપ્રિલ 2024 થી 20 જુલાઈ 2024 દરમિયાન આચરવામાં આવી હતી. ઠગબાજોએ ઇન્સ્ટાગ્રામ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી આકર્ષક જાહેરાતો મૂકી હતી, જેમાં શેરબજારમાં રોકાણ દ્વારા માતબર નફો મેળવવાની ખાતરી આપવામાં આવી હતી. ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો જાહેરાત પર સંપર્ક કરતા ફરિયાદીનો મેળાપ 'મીરા' નામની મહિલા સાથે થયો હતો. તેણીએ પોતાની ઓળખ એક નોંધાયેલ રોકાણ સંસ્થાની પ્રતિનિધિ તરીકે આપી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ 'જેમ્સ' નામના શખ્સે કસ્ટમર કેર મેનેજર તરીકે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો આપી હતી. તબક્કાવાર 25.86 લાખ પડાવ્યા આરોપીઓના જણાવ્યા મુજબ ફરિયાદીએ વધુ નફાની આશામાં તબક્કાવાર કુલ 25,86,000 અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. લાખોની રકમ રોક્યા બાદ પણ કોઈ વળતર કે મુદ્દલ રકમ પરત ન મળતા કમલેશભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ખોટી ઓળખ આપી પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત કર્યો હતો. નવ શખ્સો સામે ગુનો દાખલ આ કૌભાંડમાં એક મહિલા સહિત નવ જેટલા બેંક ખાતાધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગર સાયબર સેલના PI આઈ. એ. ધાસુરા અને તેમની ટીમે સંબંધિત કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તપાસના અંતે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવશે. સાવચેતીનો સંદેશ સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ દ્વારા અપાતી રોકાણની લાલચમાં આવવું નહીં અને હંમેશા માન્ય સંસ્થાઓ દ્વારા જ નાણાકીય વ્યવહાર કરવા.
    Click here to Read More
    Previous Article
    Tejashwi Yadav on Bihar's New CM : Samrat Chaudhary के सीएम बनने को लेकर ये क्या बोल गए तेजस्वी?
    Next Article
    લીમખેડા ભાજપ કાર્યાલયે બેઠક:ચૂંટણી જીતવા ઘડાઈ ખાસ રણનીતિ બનાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment