Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં બંધ મકાનમાંથી ₹1.90 લાખની ચોરી:લોકડાયરામાં ગયેલા પરિવારના ઘરમાંથી સોના-ચાંદી, રોકડની ઉઠાંતરી

    11 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આનંદનગર સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ₹1,90,000ની મત્તાની ચોરી કરી છે. ચોરોએ કબાટનો લોક તોડી સોનાનું મંગળસૂત્ર, સોનાની બૂંટી, ચાંદીના સિક્કા અને રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આનંદનગર સોસાયટી, રાજનગરની સામે, નવનિર્માણ સ્કૂલ પાસે રહેતા ભાવિકકુમાર ગુણવંતલાલ વાડીલાલ વ્યાસ BSNL T.I.P કંપનીમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્યરત છે. ગત 19 જૂન, 2026ના રોજ વારાહી ગૌશાળા ખાતે લોકડાયરાનું આયોજન હતું. ભાવિકકુમારને આ ડાયરાને લાઇવ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી તેઓ તેમના ગ્રુપ સાથે સાંજે વારાહી ગૌશાળા ગયા હતા. ડાયરો પૂર્ણ કરી તેઓ 20 જૂન, 2026ના રોજ સવારે આશરે 4 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે તેમના માતા-પિતા બહાર ચોગાનમાં સૂતા હતા અને મકાનનો દરવાજો ખુલ્લો હતો. પરિવાર દ્વારા રોજ દરવાજો ખાલી હળો મારવામાં આવતો હોવાથી ભૂલથી ખુલ્લો રહી ગયો હોવાનું સમજી ભાવિકકુમાર ઉપરના માળે બેડરૂમમાં સૂવા ગયા હતા. સવારે તેમના પિતાજીએ નીચેના રૂમમાં જઈને જોતાં લાકડાનો કબાટ ખુલ્લો અને તેનો લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. કબાટમાં રાખેલી રોકડ રકમ અને દાગીના ગાયબ હતા અને ઘરનો અન્ય સરસામાન વેરવિખેર પડ્યો હતો. અજાણ્યા ચોર ઇસમોએ 19 જૂન, 2026ના રાત્રીના 11 વાગ્યાથી 20 જૂન, 2026ના સવારના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ નીચેના રૂમના કબાટમાંથી આશરે 20 ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર (કિંમત ₹1,00,000), આશરે 8 ગ્રામ વજનની સોનાની બૂંટી (કિંમત ₹30,000), આશરે 150 ગ્રામ વજનના 15 નંગ ચાંદીના સિક્કા (કિંમત ₹30,000) અને રોકડ ₹40,000 મળી કુલ ₹1,90,000ની ચોરી કરી હતી. આ અંગે ભાવિકકુમાર વ્યાસે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાધનપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S)ની કલમ 305 અને 331(4) હેઠળ ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સમીરકુમાર છગનભાઇ પરમારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    20ની ઉંમરે ચોરી કરી ભાગી ગયેલો નોકર 31 વર્ષે પકડાયો:માલિકે પગાર ન આપતાં કરી હતી ચોરી, ઓળખ છુપાવી લગ્ન પણ કરી લીધા, હવે 51 વર્ષની ઉંમરે રાંદેર પોલીસના સકંજામાં
    Next Article
    પરબ કેસરિયા ને પાણી પિનારા નોનવેજના શૌકીન!:ગાંધીનગરમાં જાહેરમાં પરબની આડમાં ધમધમતી નોનવેજની હાટડી પર સર્જિકલ સ્ટ્રાઇક, કમિશનરના આદેશથી આજથી ખાસ ઝુંબેશ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment