Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ₹15 કરોડના ખર્ચે નવું છાત્રાલય બનશે:પ્રજાપતિ કેળવણી મંડળે કુમાર-કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો

    12 hours ago

    પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ₹15 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટમાં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે. આ શિલાન્યાસ વિધિ સતાધાર ધામના મહંત વિજયબાપુની નિશ્રામાં અને ભૂમિદાતા પરિવારના નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ પ્રજાપતિ તથા યોગેશકુમાર હિંમતલાલ પ્રજાપતિના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંસ્થાપક દલસુખભાઈ સી. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે દયાગૌરી પુનમચંદ સ્વામી, ભરતભાઈ જી. પ્રજાપતિ, મોતીભાઈ આર. પ્રજાપતિ, નવનીતભાઈ ડાહ્યાભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પુનમચંદભાઈ પરષોત્તમભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયા, નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ કે. પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનહરભાઈ આર. પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ કે. પ્રજાપતિ, અમૃતભાઈ પી. કંબોયા અને રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મનજીભાઈ રૂગનાથભાઈ પ્રજાપતિએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ અને મંત્રી રઘુભાઈ જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ:જન્મ-મૃત્યુ પ્રમાણપત્રમાં ફેરફાર કરવાની સત્તા હોવા છત્તા રજિસ્ટ્રાર કોર્ટનો હુકમ માગે છે, સત્તા વાપરવા સરકાર નિર્દેશ આપે
    Next Article
    બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી દોઢ કરોડનો ગાંજો ઝડપાયો:સીટની નીચે સેફ્ટી જેકેટના પાઉચમાં 4 પેકેટ છુપાવેલા હતા, ગાંજો લાવનારા મુસાફરની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment