Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મહારાષ્ટ્ર નાભિક સમાજ ભવનનું લોકાર્પણ:સી.આર. પાટીલે ₹15 લાખની ગ્રાન્ટ આપી, મધ્યમ વર્ગને સુવિધા મળશે

    7 hours ago

    નવસારીના વિજલપુર ખાતે મહારાષ્ટ્ર નાભિક સમાજ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંત સેના મહારાજની જન્મ જયંતીના અવસરે નવનિર્મિત આ ભવન મધ્યમ વર્ગીય પરિવારો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનમાં મદદરૂપ થશે. આ સાંસ્કૃતિક ભવનના નિર્માણમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે પોતાના સાંસદ ફંડમાંથી ₹15 લાખની આર્થિક સહાય પૂરી પાડી હતી. બાકીની રકમ સમાજના અગ્રણીઓ અને દાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, વોર્ડ નંબર 2 ના નગરસેવક અશોક ધોરાજીયા અને નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DYSP) એસ.કે. રાયનો સમાવેશ થાય છે. વિજલપુર સહિત સમગ્ર નવસારી જિલ્લાના નાભિક સમાજના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજલપુર વિસ્તારમાં વસતા મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારોને અગાઉ પ્રસંગો કે લગ્ન જેવા કાર્યક્રમો યોજવામાં મુશ્કેલી પડતી હતી. આ સાંસ્કૃતિક ભવન કાર્યરત થતા, લોકો હવે રાહત દરે નાના-મોટા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી શકશે. સમાજના આગેવાનોએ આ ભવનને સમાજની એકતા અને પ્રગતિનું પ્રતીક ગણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'BMAને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું ધ્યેય':બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના ઇતિહાસમાં પહેલીવાર 50% મહિલા રિઝર્વેશન સાથે હોદ્દેદારોની વરણી થઈ, નવા પ્રેસિડેન્ટ તરીકે ડૉ. મંગલા ચૌહાણે કાર્યભાર સંભાળ્યો
    Next Article
    મોઢેરા પાસે યુવક-યુવતીનો આપઘાત:માત્રાસણની કેનાલમાંથી કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા, રામદેવપીરના પાઠમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો યુવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment