Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નેશનલ ડૉક્ટર ડે ઉજવાયો:ઇટ્રાના વૈદ્યો દ્વારા 40 લીમડાના છોડનું રોપણ

    15 hours ago

    જામનગરમાં ઇટ્રા (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ) દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૌમારભૃત્ય વિભાગ દ્વારા વન મહોત્સવ અંતર્ગત 40 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું. આયુર્વેદની દૃષ્ટિએ આરોગ્ય અને પર્યાવરણ માટે હિતકારી આ છોડ રોપવામાં આવ્યા હતા. પી.એચ.ડી. અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને તેમના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. કૌમારભૃત્ય વિભાગના વડા પ્રો. વિરેન્દ્ર કોરીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ વૈદ્યો દ્વારા બીમાર દર્દીઓ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરાયું છે. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યની પેઢીમાં વૃક્ષારોપણ અને તેના જતનની સારી ટેવો વિકસે. દરેક વૃક્ષ પર તેના નામ સાથેનો ક્યુ.આર. કોડ ધરાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જેથી તેમને જતન માટે પ્રેરણા મળતી રહે. આ કાર્યક્રમમાં સંસ્થાના ઇનચાર્જ ડાયરેક્ટર પ્રો. વૈદ્ય હિતેશ વ્યાસ સહિત સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પહેલા બસે કારને ટક્કર મારી, એક પછી એક વાહનો અથડાયા:વડોદરાના ફતેગંજ બ્રિજ પર એક સાથે 10 વાહનો અથડાતા અકસ્માત, એક કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો
    Next Article
    ‘જયના મિત્રો 5000 માટે પણ હત્યા કરી શકે’:પાર્ટી બાદ બુટલેગર હર્ષદ મહાજનના પુત્રએ મર્ડર કરી પાણીમાં ફેંકી દીધો; રાજકોટમાં તળાવમાંથી યુવકની લાશ મળતા પરિવારનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment