Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં તંત્રનું બુલડોઝર ફર્યું:40 વર્ષ જૂનો આસરો છીનવાતા વૃદ્ધ દંપતી લાચાર; ‘અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે કરવું હોય એ કરો’

    10 hours ago

    શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલેશનની કામગીરી રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. 40 વર્ષથી વસવાટ કરતા પરિવારોના મકાનો પર જ્યારે તંત્રનું બુલડોઝર ગુંજ્યું, ત્યારે વાતાવરણમાં ચીસ અને આક્રોશ ફેલાઈ ગયો હતો. ખાસ કરીને એક વૃદ્ધ દંપતી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીએ આખી ઘટનાને ગમગીન બનાવી દીધી હતી. કરોડોની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડ નંબર 16 માં આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈના જણાવ્યા અનુસાર, 'ગાડા માર્ગ' તરીકે ઓળખાતી સરકારી જમીન પર કુલ 6 આસામીએ ગેરકાયદેસર દબાણ કર્યું હતું. ડિમોલેશનની મુખ્ય વિગતો: 'અમે અહીંથી ઉઠવાના નથી': વૃદ્ધા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ડિમોલેશન દરમિયાન સૌથી વધુ વિરોધ 40 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતીએ કર્યો હતો. પોતાનું આજીવનનું ભાથું અને છત છીનવાતી જોઈ નંદુબેન નામની વૃદ્ધા ભાવુક થઈ ગયા હતા અને "મારું કોઈ નથી, મારે મરવું છે" તેમ કહીને જેસીબી મશીન આડે બેસી ગયા હતા. વૃદ્ધાએ પોલીસને પડકાર ફેંકતા કહ્યું કે, અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે કરવું હોય એ કરો." પરિસ્થિતિ વણસતા મહિલા પોલીસ દ્વારા તેમને બળજબરીપૂર્વક હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં વૃદ્ધા અને તંત્ર વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. આખરે પોલીસે મહિલાની અટકાયત (ડિટેઇન) કરીને કામગીરી આગળ ધપાવી હતી. "શાંતિલાલ પાસેથી પ્લોટ લીધો હતો, મજૂરી કરીને ઘર બનાવ્યું" ભારે હૈયે મીડિયા સાથે વાત કરતા નંદુબેને પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે, 35-40 વર્ષ પહેલાં જ્યારે અહીં માત્ર ખેતરો હતા, ત્યારે અમે શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી આ પ્લોટ વેચાતો લીધો હતો. વર્ષો સુધી મજૂરી કરીને, પથ્થરો તોડીને અમે આ ઘર બનાવ્યું હતું. નવ વર્ષ પહેલા દીકરો ગુજરી ગયો, હવે બે પૌત્ર અને વહુની જવાબદારી અમારા વૃદ્ધો પર છે. તંત્રએ અચાનક આવીને અમને ધમકાવવાનું શરૂ કર્યું, હવે આ ઉંમરે અમે ક્યાં જઈએ?" ફરિયાદના આધારે કાર્યવાહી મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દબાણ બાબતે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને ઓનલાઇન પોર્ટલ પર અનેક ફરિયાદો મળી હતી. લાંબી કાયદેસરની પ્રક્રિયા અને નોટિસના સમયગાળા બાદ જ આ આખરી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, તંત્ર માટે આ માત્ર એક 'દબાણ હટાવવાની ઝુંબેશ' હોઈ શકે, પરંતુ 40 વર્ષથી રહેતા લોકો માટે તે પોતાની જિંદગીની મરણમૂડી ખાખ થવા સમાન સાબિત થઈ છે. હાલ તો જડેશ્વર પાર્ક વિસ્તારમાં કરોડોની જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે, પરંતુ આ વૃદ્ધ પરિવારો હવે ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    અરણેજ ગામે 8 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી:વાડી વિસ્તારમાં મોટી બહેન સાથે જતી હતી, 3 કલાક બાદ મૃતદેહ મળ્યો
    Next Article
    बिजनौर में शादीशुदा औरत और कुंवारे लड़के की कहानी, पूरे गांव में चर्चाओं काबाजार गरम #Nabeel Akhtar#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment