Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં દારૂના મનદુખે હત્યાના પ્રયાસ મામલે ચુકાદો:બે સગા ભાઈઓને સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદ ફટકારી

    9 hours ago

    વેરાવળ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં બે સગા ભાઈઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. દારૂ લાવવા બાબતે થયેલી તકરારમાં તલવાર અને છરી વડે જીવલેણ હુમલો કરવા બદલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ ઘટના 24 ઓગસ્ટ 2019ના રોજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો વજુ ચાવડા (ઉંમર 35) અને સંજય ઉર્ફે વિક્રમ વજુ ચાવડા (ઉંમર 30) ને ફરિયાદી સાથે દારૂની હેરાફેરી બાબતે અગાઉથી મનદુખ હતું. આ અદાવત રાખીને બંને ભાઈઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન, ફરિયાદી પર તલવાર અને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો. આરોપીઓએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. મોઢવાડિયાએ તેમની ટીમ સાથે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ અધિકારીએ માત્ર બે મહિનામાં જ તમામ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને 6 નવેમ્બર 2019ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ વેરાવળ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં સરકાર પક્ષે સરકારી વકીલ કે.ડી. વાળા અને જે.ડી. પાઠક હાજર રહ્યા હતા. સરકારી વકીલોએ દલીલ કરી હતી કે સમાજમાં આવા ગુનાહિત તત્વો પ્રત્યે કોઈ રહેમ રાખવી ન જોઈએ, કારણ કે નિર્દોષ વ્યક્તિ પર ઘાતક હથિયારોથી હુમલો કરવો એ ગંભીર ગુનો છે. મેડિકલ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે સરકારી પક્ષે કેસને મજબૂત બનાવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે અવલોકન કર્યું કે આરોપીઓ સામેના ગુના નિઃશંકપણે સાબિત થાય છે. પરિણામે, કોર્ટે આરોપી પ્રકાશ ઉર્ફે પકો અને સંજય ઉર્ફે વિક્રમને IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજાનો આદેશ કર્યો. આ ચુકાદાથી વેરાવળ પંથકમાં કાયદો અને વ્યવસ્થાના અમલ અંગે સંતોષની લાગણી ફેલાઈ છે અને ગુનાહિત માનસ ધરાવતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી, વાપી અને પાલનપુરમાં 17 નવા ST-બસ રૂટને લીલી ઝંડી:અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી, સમય અને નાણાં બંનેની બચત થશે
    Next Article
    11,000થી વધુ ઉદ્યોગકારોને 'વન ક્લિક'માં ₹1349 કરોડની સબસિડી:હર્ષ સંઘવીએ ઉધોગપતિઓને કહ્યું 'ભૂલો શોધવા કરતા સમાધાન પર ફોકસ કરો', 'ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ'ના MoU થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment