Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના તાંત્રોલી બ્રિજના RCC ભાગમાં ખાડો પડ્યો:તંત્ર દ્વારા સમારકામ શરૂ, જર્જરિત હાલતમાં હોવાથી અગાઉ ભારે વાહનોની અવરજવર માટે બંધ

    2 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર નજીક મહીસાગર નદી પર આવેલા તાંત્રોલી બ્રિજમાં ફરી એકવાર ખાડો પડ્યો છે. બ્રિજના RCC ભાગમાં ખાડો પડતાં અંદરના સળીયા દેખાવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. મલેકપુર પાસેનો આ તાંત્રોલી બ્રિજ અગાઉ જર્જરિત હાલતમાં હોવાથી મોટા વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિજનું સમારકામ કરીને લોડ ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલ બ્રિજના RCC ભાગમાં પડેલા ખાડાને પૂરવા માટે તંત્ર દ્વારા સિમેન્ટ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે બ્રિજની ગુણવત્તા અને જાળવણી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. સમારકામ બાદ બ્રિજની સુરક્ષા અને મજબૂતાઈ અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે, જોકે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાના પર્સમાંથી બે જોડ સોનાની બુટ્ટી, એક સોનાની વીંટી મળી:વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ, 62 હજાર ની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા
    Next Article
    25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે યાદ કરવા વિશેષ પ્રદર્શની:કટોકટીના કાળા અધ્યાય અને લોકશાહીના સેનાનીઓનો સંઘર્ષ યાદ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment