Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે યાદ કરવા વિશેષ પ્રદર્શની:કટોકટીના કાળા અધ્યાય અને લોકશાહીના સેનાનીઓનો સંઘર્ષ યાદ કરાયો

    2 days ago

    ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 25 જૂન, 1975નો દિવસ કટોકટી (ઇમરજન્સી) લાગુ થવાને કારણે એક કાળા અધ્યાય તરીકે નોંધાયેલો છે. આ દિવસને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે યાદ કરવા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પરિવારે વેરાવળ ખાતે એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કર્યું હતું. વેરાવળના બિહારીનગર પબ્લિક ગાર્ડન, નવી હવેલી રોડ ખાતે આયોજિત આ પ્રદર્શનીમાં કટોકટી દરમિયાન દેશની લોકશાહી વ્યવસ્થા પર થયેલા પ્રહારો, નાગરિક સ્વાતંત્ર્ય પરના નિયંત્રણો અને લોકશાહી તથા બંધારણીય મૂલ્યોની રક્ષા માટે લડનારા લોકતંત્રના સેનાનીઓના સંઘર્ષને વિવિધ તસવીરો, દસ્તાવેજો અને માહિતીસભર પ્રદર્શન દ્વારા રજૂ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કટોકટીના સમયગાળાની ઐતિહાસિક ઘટનાઓ વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોના મહત્વ અંગે પણ તેમને માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, વેરાવળ શહેર ભાજપ અધ્યક્ષ શૈલેષ મેસવાણિયા, જિલ્લા મહામંત્રી જયેશ પંડયા અને મૌલિક વૈયાટા સહિત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના નગરસેવકો, વિવિધ પદાધિકારીઓ, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનીમાં હાજર રહેલા લોકોએ દેશના લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા માટે થયેલા ઐતિહાસિક સંઘર્ષ વિશે માહિતી મેળવી હતી. તેમને લોકશાહીના રક્ષણ માટે સજાગ રહેવાનો સંદેશ પણ મળ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને દેશના રાજકીય ઇતિહાસના આ મહત્વપૂર્ણ અધ્યાયથી અવગત કરાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના તાંત્રોલી બ્રિજના RCC ભાગમાં ખાડો પડ્યો:તંત્ર દ્વારા સમારકામ શરૂ, જર્જરિત હાલતમાં હોવાથી અગાઉ ભારે વાહનોની અવરજવર માટે બંધ
    Next Article
    Nashik Teen Dies Minutes After Tetanus Shot, Family Blames Vaccine

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment