Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:25 માર્ચે પાટણનું આઇકોનિક બસ સ્ટેશન શરૂ થશે, હર્ષ સંઘવી ઉદ્ઘાટન કરશે

    14 hours ago

    આગામી 25 માર્ચ હર્ષ સંઘવીના હસ્તે પાટણ નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થશે. વર્ષ 2017માં જેનું ખાતમુહૂર્ત થયું હતું અને કોરોનાને કારણે જે પ્રોજેક્ટ વિલંબમાં બાદ અંતે 8 વર્ષ પછી પાટણનું નવું "આઇકોનિક બસ પોર્ટ" હવે તૈયાર થઈ ગયું હોય લોકો માટે ખુલ્લી મૂકાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા છે.તેવું એસટી વિભાગના રાણકીવાવ સેન્ટ્રલ ઓફિસના અધિકારી રિતેશ સોલંકીએ જણાવ્યું હતું. નવીન બસ સ્ટેશન શરૂ થાય તે પૂર્વે ડેપો વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સંચાલન અને રૂટ પર ટ્રાફિક નિયમન અંગે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલ રાવળે જણાવ્યું હતું કે નવું બસ સ્ટેશનનું લોકાર્પણ થશે એટલે તરત જ 100 ટકા સંચાલન બસ સ્ટેશનમાંથી જ કરાશે. અમે જરૂરી સમય અંતરે બસ લઈને રૂટ ચેક કરી લીધા છે.જેમાં પ્રાથમિક ધોરણે અવરજવરમાં રૂટ પર બસ ફેરવી અડચણરૂપ દબાણ દૂર કરી બસ સ્ટેશન વળાંકમાં રસ્તો ખુલ્લો કર્યો હોય બસને વળાંક કે યુ ટર્નમાં મુશ્કેલી સર્જાશે નહીં. સંચાલન શરૂ થયા બાદ કોઈ મુશ્કેલી સર્જાશે તો સંલગ્ન વિભાગો સાથે મળીને નિરાકરણ કરાશે. ગંદકી ન થાય માટે સ્પેશિયલ સ્ટાફ નવા બસ સ્ટેશનમાં શિસ્ત જાળવવા માટે વહીવટી તંત્ર કડક બન્યું છે. જુના બસ સ્ટેશનમાં કે હાલમાં કાર્યરત વૈકલ્પિક બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને ગંદકી બાબતે કોઈ ખાસ પગલાં લેવાતા નથી. પરતું નવા સંકુલમાં સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ ગોઠવ્યા છે.જે ધૂમ્રપાન કરવા કે પાન-મસાલા ખાઈને ગંદકી કરનાર સામે સ્થળ પર જ રૂ.200 વધુ દંડનીય કાર્યવાહી કરશે. ટ્રાફિક ના સર્જાય માટે વધુ TRP પોઇન્ટ ઉભા કરાશે‎ પાટણ શહેર ટ્રાફિક પીએસઆઇ રણજીત સોલંકી એ જણાવ્યું હતું કે‎એસટી ડેપોના કાર્યરત અને લઈ જાહેરનામું જે આવશે એની‎અમલવારી કરાશે અને શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વધુ‎ડીઆરબીની માંગણી કરાશે. ખાસ કરીને રેલવે સ્ટેશન સ્વામી‎વિવેકાનંદની પ્રતિમા નજીક બે ટીઆરપી હતા એની જગ્યાએ ત્રણ‎ટીઆરપી કરી યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. બાકીનું રૂપ ઉપર બસ‎કાર્યરત થશે એટલે ઓટોમેટીક ટ્રાફિક કંટ્રોલમાં આવી જશે.‎
    Click here to Read More
    Previous Article
    સગીરા ગુમ થઈ:ધારપુર સિવિલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ
    Next Article
    રશિયન ઇનપુટ પર NIAએ અમેરિકી-યુક્રેનિયન નાગરિકોને પકડ્યા હતા:મ્યાનમાર સરહદ પર સશસ્ત્ર જૂથોને તાલીમ આપી; જૂથમાં 14-15 લોકો, અન્યની શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment