Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં પાંચ દિવસના ગણેશોત્સવ બાદ બાપ્પાને વિદાય અપાઈ:વિસર્જન યાત્રા બંદર જેટીએ પહોંચી; ખારવા યુવાનોએ સમુદ્રમાં સુરક્ષિત વિસર્જન કર્યું

    6 hours ago

    વેરાવળ-સોમનાથ શહેરમાં પાંચ દિવસના ગણેશોત્સવ બાદ ગણેશજીની પ્રતિમાઓને વિદાય આપવામાં આવી. 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ગણેશોત્સવ અંતર્ગત શુક્રવારે વિસર્જન યાત્રા યોજાઈ હતી. ભક્તોએ બાપ્પાને વિદાય આપી અને આવતા વર્ષે વહેલા પધારવા પ્રાર્થના કરી. વેરાવળ શહેરમાં ગણેશ મંડળોએ ગણેશજીની પ્રતિમાઓને શણગારેલા વાહનોમાં બિરાજમાન કરી વિસર્જન યાત્રા કાઢી. ડીજેના તાલે અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભક્તો નાચતા-ગાતા શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થયા. "ગણપતિ બાપ્પા મોરિયા"ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વેરાવળ બંદર ખાતેની રંગબારા જેટી પર પહોંચી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની તમામ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે આ એક સ્થળ નક્કી કરાયું છે. અહીં માછીમાર-ખારવા સમાજના સેવાભાવી યુવાનોએ તરાપાની મદદથી સમુદ્રમાં જઈ ગણેશજીની પ્રતિમાઓનું સુરક્ષિત રીતે વિસર્જન કર્યું. દર વર્ષની પરંપરા મુજબ વેરાવળના ટાવર ચોક ખાતે પણ ગણેશ મંડળોની વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ ખારવા સમાજના આગેવાનો અને કાર્યકરોએ ગણેશ ઉત્સવ મંડળોનું સ્વાગત-અભિવાદન કર્યું. વિસર્જન યાત્રાને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદર વિસ્તારમાં પણ વધારાની સુરક્ષા વ્યવસ્થા સાથે ફાયર બ્રિગેડ સહિતની ટીમોને તૈયાર રાખવામાં આવી હતી. આ વર્ષે સુરક્ષાને પ્રાધાન્ય આપીને વિસર્જનની પ્રક્રિયા નક્કી કરેલા સ્થળે જ કરવામાં આવી. સમુદ્રમાં વિસર્જન દરમિયાન માછીમાર સમાજના તાલીમબદ્ધ યુવાનો દ્વારા પ્રતિમાઓને તરાપા મારફતે ઊંડા પાણી સુધી લઈ જઈ વિસર્જનની કામગીરી કરાઈ. આમ, ભક્તિ, પરંપરા અને સુરક્ષાના સંકલન વચ્ચે વેરાવળમાં પાંચ દિવસના ગણેશોત્સવનું સમાપન થયું.
    Click here to Read More
    Previous Article
    સાથી કારીગર જ ચોર નીકળ્યો, CCTV:ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયેલા યુવકનો ફોન ચોરી સાથીદાર ફરાર, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
    Next Article
    કેશોદના સોંદરડામાં પાયાની સુવિધા માંગવી દલિત યુવકને ભારે પડી:પંચાયત સભ્ય ગોરધન અમૃતિયાએ જાહેરમાં ગાળો ભાંડી ઢોર માર માર્યો, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment