Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં અજાણ્યા મૃતદેહને કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાયો:નર્મદા કેનાલમાંથી મળેલા મૃતદેહને શ્મશાને લઈ જવામાં પાલિકાની બેદરકારી

    7 hours ago

    ગોધરા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. રતનપુર કાંટડી ગામ પાસે નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા પાલિકાના કર્મચારીઓએ શવવાહિનીને બદલે કચરો ઉપાડવાના ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો. ગત 2 સપ્ટેમ્બરના રોજ ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી આ મૃતદેહ મળ્યો હતો. મૃતક પુરુષની ઉંમર આશરે 45 વર્ષ હોવાનું અનુમાન છે અને તે અર્ધનાગ્ન હાલતમાં હતો. મૃતદેહના વાલીવારસ ન મળતા કાંકણપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને ઓળખ માટે ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. ગોધરા નગરપાલિકાના ઈનચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર રેહલ માલવીએ જણાવ્યું હતું કે, અજાણી વ્યક્તિની દફનવિધિ માટે નગરપાલિકા પાસે શવવાહિની સહિતની તમામ સુવિધા છે. તેમ છતાં મૃતદેહને કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે જે કોઈ કર્મચારી સંકળાયેલા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ પ્રમાણે, જ્યારે મૃતદેહની ઓળખ ન થાય ત્યારે સરકારી તંત્ર દ્વારા સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાના હોય છે. જોકે, ગોધરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમથી શ્મશાન ગૃહ સુધી કચરાના ટ્રેક્ટરમાં લઈ જઈને નિયમોનો ભંગ કર્યો હતો. અજાણ્યા મૃતદેહોની સેવા કરતા ગોધરાના સામાજિક કાર્યકર અતુલભાઈ ઠક્કરે આ ઘટનાને અમાનવીય ગણાવી હતી. તેમણે પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલો સામે આવતા ગોધરા નગરપાલિકાના ઈનચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટરે તેની નોંધ લીધી છે. તેમણે કસૂરવાર કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કેસ:સાયબર ક્રાઈમે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, 13 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર
    Next Article
    ભાવનગરમાં કાજલબેન હત્યા કેસના આરોપીને ઝડપી પાડનાર PIનું સન્માન:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને ટીમે રજવાડી તલવાર આપી સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment