Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામીનારાયણ સંતો જવાના હતા એટલે મહિલા કર્મીઓની ડ્યૂટી હટાવી:પેરિસમાં ભેદભાવ મુદ્દે કર્મચારીઓ હોબાળો કરી હડતાલ પર ઊતર્યા; એફિલ ટાવર બંધ રાખવું પડ્યું

    1 day ago

    ફ્રાન્સની રાજધાની પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે કર્મચારીઓની હડતાળને કારણે બંધ રહ્યો. આ મામલો શનિવારે હિંદુ સંગઠન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના લગભગ 100 સભ્યોની મુલાકાત સાથે સંબંધિત છે. આરોપ છે કે BAPS પ્રતિનિધિમંડળના આગમન પહેલાં કેટલીક મહિલા કર્મચારીઓને તેમની જગ્યા પરથી હટવા માટે કહેવામાં આવ્યું, જેથી ત્યાં પુરુષ કર્મચારીઓને તૈનાત કરી શકાય. આ ઘટનાથી મહિલા કર્મચારીઓ દુઃખી થઈ. તેમને આ અપમાનજનક લાગ્યું. મામલો વધ્યા પછી સોમવારે કર્મચારીઓએ બેઠક કરી અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી. વાત ન બનતા કર્મચારીઓએ હડતાળ કરી દીધી. આના કારણે એફિલ ટાવરને બંધ રાખવો પડ્યો. બાદમાં એફિલ ટાવરના મેનેજમેન્ટે પણ સ્વીકાર્યું કે તેને આવી વિનંતી માનવી જ ન જોઈતી હતી. BAPS કર્મચારીઓની મુલાકાત સાથે સંબંધિત 2 તસવીરો BAPSએ કહ્યું- કોઈની એન્ટ્રી રોકી નથી, છતાં માફી માગી BAPSએ જણાવ્યું કે લગભગ 100 લોકોના એફિલ ટાવરની મુલાકાતની યોજના સંસ્થા અને ટાવરના મેનેજમેન્ટે સાથે મળીને બનાવી હતી. મુલાકાતનો સમય પણ એવી રીતે નક્કી કરવામાં આવ્યો હતો, જેથી અન્ય પ્રવાસીઓને ઓછીમાં ઓછી અગવડ પડે. સંસ્થા અનુસાર, તેની જાણકારીમાં કોઈને પણ એફિલ ટાવરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા ન હતા. જોકે, જો આ ઘટનાથી કોઈને દુઃખ કે અગવડ પડી હોય તો BAPS તેના માટે માફી માગે છે. BAPS પોતાને હિંદુ આધ્યાત્મિક અને સ્વયંસેવી સંસ્થા ગણાવે છે. તેના લંડન, લોસ એન્જલસ અને સિડની સહિત ઘણા શહેરોમાં મંદિરો છે. રવિવારે પેરિસમાં BAPS ના ફ્રાન્સના પ્રથમ મોટા મંદિરનું ઉદ્ઘાટન પણ થયું હતું. બ્રહ્મચર્યના નિયમોને કારણે સાધુઓ મહિલાઓથી દૂર રહે છે BAPSના સાધુઓ અને સ્વામીઓ આઠ પ્રકારના બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરે છે. આ અંતર્ગત તેઓ મહિલાઓ સાથે વાતચીત કરવા, તેમને સ્પર્શ કરવા અને તેમની સાથે વધુ નજીક રહેવાથી બચે છે. BAPSના મંદિરોમાં પણ ઘણી જગ્યાએ પુરુષો અને મહિલાઓ માટે અલગ બેસવાની વ્યવસ્થા હોય છે. સંસ્થાનું કહેવું છે કે આ સાધુઓના ધાર્મિક નિયમ અને તેમની સાધનાનો ભાગ છે. જોકે, એફિલ ટાવરમાં મહિલા કર્મચારીઓને હટાવવાનો નિર્ણય આ જ ધાર્મિક નિયમને કારણે લેવાયો હતો કે સ્થાનિક સ્તરે કરાયેલી વ્યવસ્થા હેઠળ, તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ફ્રાન્સમાં રાજકીય નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી ઘટના સામે આવ્યા બાદ ફ્રાન્સના ઘણા રાજકીય નેતાઓએ પણ તેની ટીકા કરી. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઆરે મામલાની તપાસ કરાવવાની વાત કહી. તેમણે કર્મચારીઓના ગુસ્સાને વાજબી ગણાવ્યો. ફ્રાન્સના સમાનતા મંત્રી ઓરોર બર્જેએ કહ્યું કે ફ્રાન્સમાં મહિલાઓને પોતાને છુપાવવા માટે કહેવામાં આવતું નથી. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ધર્મ દેશના કાયદાથી ઉપર નથી. દક્ષિણપંથી નેતા મરીન લે પેન અને પૂર્વ પ્રધાનમંત્રી ગેબ્રિયલ અતાલે પણ ઘટનાની ટીકા કરી. અતાલે કહ્યું કે કોઈ સંસ્કૃતિ, આસ્થા કે ધર્મના નામે મહિલાઓ પાસેથી એ નક્કી કરાવી શકાય નહીં કે તેમને કોઈ જગ્યાએ ક્યાં રહેવું છે. ભાસ્કર ઇનસાઇટ્સ 2 વર્ષ 2 મહિના અને 5 દિવસમાં તૈયાર થયો હતો એફિલ ટાવર 1889માં ફ્રાન્સમાં વિશ્વ મેળો યોજાવાનો હતો. ફ્રેન્ચ ક્રાંતિના 100 વર્ષ પૂરા થવા પર આયોજિત આ મેળામાં ફ્રાન્સ પોતાની એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક તાકાત બતાવવા માંગતું હતું. આ માટે 300 મીટર ઊંચો લોખંડનો ટાવર બનાવવાનો નિર્ણય થયો. તેની શરૂઆતની ડિઝાઇન એન્જિનિયર મોરિસ કોએકલિન અને એમિલ નુગીએ બનાવી હતી. બાદમાં આર્કિટેક્ટ સ્ટીફન સોવેસ્ટ્રેએ ડિઝાઇનને બહેતર બનાવી અને ગુસ્તાવ એફિલની કંપનીએ ટાવર બનાવ્યો. આટલા મોટા માળખાને તે સમયની ટેકનોલોજીથી વિક્રમજનક સમયમાં બનાવવામાં આવ્યું હતું. એફિલ ટાવરનું નિર્માણ 26 જાન્યુઆરી 1887 ના રોજ શરૂ થયું અને તેનું મુખ્ય માળખું 31 માર્ચ 1889 ના રોજ પૂર્ણ થયું. નિર્માણ દરમિયાન સાઇટ પર 150 થી 300 મજૂરો કામ કરતા હતા. હવા અને ગરમીમાં પણ ટકી રહેવાના 3 કારણો 1. હવાના દબાણને ધ્યાનમાં રાખીને બનાવેલી ડિઝાઇન: એફિલ ટાવર જાળીદાર લોખંડનું માળખું છે. તેના ચારેય પાયા નીચેથી પહોળા છે અને ઉપર જતાં-જતાં એકબીજાની નજીક આવે છે. આનાથી હવા માળખા સાથે અથડાઈને અટકતી નથી, પરંતુ આરપાર નીકળી જાય છે. આનાથી હવાનું દબાણ ઓછું થાય છે. ટાવરમાં લગભગ 18,038 લોખંડના ભાગો અને 25 લાખ રિવેટ (ખીલા) લાગેલા છે. આખા માળખાનું વજન લગભગ 7,300 ટન છે. 2. ગરમીમાં ઊંચાઈમાં થોડો ફેરફાર થાય છે: તાપમાન વધવા પર લોખંડ ફેલાય છે અને ઠંડીમાં સંકોચાય છે. તેથી, હવામાન પ્રમાણે એફિલ ટાવરની ઊંચાઈમાં થોડો ફેરફાર થાય છે. સૂર્યની ગરમીથી તેના અલગ-અલગ ભાગોમાં હળવી હલચલ પણ થાય છે. તેજ પવનમાં આખું માળખું થોડું હલે છે, પરંતુ તેને આ ફેરફારો સહન કરવાના હિસાબે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 3. લગભગ દર 7 વર્ષે રંગકામ થાય છે: એફિલ ટાવર લોખંડનો બનેલો છે અને તેને કાટ લાગવાનો ભય રહે છે. તેથી તેના પર નિયમિતપણે પેઇન્ટ કરવામાં આવે છે. અધિકૃત વેબસાઇટ અનુસાર, 1892 થી ટાવરને સરેરાશ દર 7 વર્ષે સંપૂર્ણપણે ફરીથી પેઇન્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 20 વખત તેનું પેઇન્ટિંગ થઈ ચૂક્યું છે.
    Click here to Read More
    Previous Article
    'રણબીર કપૂરને શ્રીરામ તરીકે સ્વીકારવો મુશ્કેલ':રામાનંદ સાગરના પૌત્રે 'રામાયણ'ની કાસ્ટિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા, 'એનિમલ'ની ઇમેજને બોજ ગણાવી
    Next Article
    વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક:હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી સ્વાગત; આવતા વર્ષે બુલેટ ટ્રેન દોડશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment