Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રણબીર કપૂરને શ્રીરામ તરીકે સ્વીકારવો મુશ્કેલ':રામાનંદ સાગરના પૌત્રે 'રામાયણ'ની કાસ્ટિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા, 'એનિમલ'ની ઇમેજને બોજ ગણાવી

    1 day ago

    ટીવીના ઇતિહાસની સૌથી લોકપ્રિય 'રામાયણ' બનાવનાર રામાનંદ સાગરના પૌત્ર અને પ્રોડ્યુસર-ડિરેક્ટર શિવ સાગરે નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં લેવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘એનિમલ’ પછી તેઓ રણબીરને રામના રૂપમાં સ્વીકારી શકતા નથી. શિવ સાગરે ન્યૂઝ એજન્સી ANI સાથે નિતેશ તિવારીની રામાયણ વિશે કહ્યું, 'એક કાસ્ટિંગ સિવાય મને બાકીની આખી કાસ્ટિંગ ખૂબ ગમે છે. પર્સનલી હું ‘એનિમલ’ પછી રણબીર કપૂરને રામના રૂપમાં સ્વીકારી શકતો નથી. જ્યારે હું રામજીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે કોઈ નવા ચહેરાને લેવો જોઈતો હતો.' તેમણે આગળ કહ્યું, 'તમે ખૂબ જ મજબૂત સપોર્ટિંગ કાસ્ટ લઈ શકો છો. યશ ખૂબ સારા લાગી રહ્યા છે અને સાઈ પલ્લવી પણ ખૂબ સારી લાગી રહી છે. તે બંને સાથે અગાઉની ભૂમિકાઓનો એટલો બોજ નથી. રણબીર સાથે ખૂબ બોજ છે. એટલે અમે સામાન્ય રીતે અમારી સિરિયલોમાં નવા ચહેરા લઈએ છીએ, જેથી તેમની કોઈ અગાઉની છબી કે ઇતિહાસ ન હોય.' શિવ સાગરે કહ્યું, 'એવું બની શકે કે જો રણબીરને ન લેવામાં આવ્યો હોત, તો ફિલ્મનું માર્કેટિંગ આટલું સારી રીતે ન થયું હોત. આ વિશે પણ વિચારવું જોઈએ. પરંતુ મારું અંગત માનવું છે કે આવા પાત્રો માટે નવો ચહેરો લેવો વધુ સારું છે. કારણ કે ‘રામાયણ’ પછી શું લોકો તેમને ફરીથી ‘એનિમલ’ જેવી ફિલ્મમાં સ્વીકારી શકશે? ખાસ કરીને જ્યારે રામજી અને રામાયણની વાત આવે છે, ત્યારે લોકો વધુ સંવેદનશીલ અને ભાવુક હોય છે.' શિવ સાગરે કહ્યું, 'પશ્ચિમી દેશોમાં તેને માયથોલોજી કહેવામાં આવે છે. ભારતમાં પણ તેને માયથોલોજી કહેવામાં આવે છે, પરંતુ આ આપણો ઇતિહાસ છે. લોકો દરરોજ તેમની પૂજા કરે છે. રામ આપણા ઇતિહાસનો એક ભાગ છે.' કાસ્ટિંગ ઉપરાંત કોસ્ચ્યુમ પર પણ નારાજગી વ્યક્ત કરી શિવ સાગરે કેટલાક કોસ્ચ્યુમ અને કાસ્ટિંગના નિર્ણયો પર પણ અસહમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'ખરેખરમાં જનતા જ રાજા છે. જનતા જે કહેશે, તે જ અંતિમ નિર્ણય હશે. મને કેટલાક ભાગોની કાસ્ટિંગ અને કોસ્ચ્યુમ પસંદ ન આવ્યા. તેમને વધુ સારા કરી શકાયા હોત.' શિવ સાગરનો અભિપ્રાય એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે તેમના દાદા રામાનંદ સાગરે અત્યંત લોકપ્રિય ટીવી સિરિયલ ‘રામાયણ’ બનાવી હતી. શિવ સાગરે સાઈ પલ્લવી અને યશની કાસ્ટિંગની પ્રશંસા કરી અને કહ્યું કે, 'વાંધાઓ હોવા છતાં, ફિલ્મની કાસ્ટિંગ અને ક્રિએટિવ નિર્ણયો પર દર્શકોની પ્રતિક્રિયા જ સૌથી મહત્વપૂર્ણ રહેશે.' ‘રામાયણ: પાર્ટ 1’ નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી બે ભાગની ફિલ્મ છે. તેનું વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ શેડ્યૂલ 6 નવેમ્બર 2026 છે. સતત થઈ રહી છે 'રામાયણ'ની ટીકા કાસ્ટિંગ પર વિવાદ: બીફ વિવાદમાં રહેલા રણબીર કપૂરને 'રામાયણ'માં ભગવાન શ્રી રામનો કિરદાર આપવા બદલ લાંબા સમયથી ટીકા થઈ રહી છે. આ ઉપરાંત, જે બરાબર હિન્દી બોલી શકતી નથી તેવી સાઈ પલ્લવીના સીતા બનવા પર પણ વિવાદ છે. રકુલપ્રીત સિંહના શૂર્પણખાના 'ગ્લેમરસ લુક' પર મીમ્સ બની રહ્યા છે. ટ્રેલરમાં સ્ટારકાસ્ટના પહેરવેશ પર પ્રશ્ન: ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી કૈકેયીનું પાત્ર ભજવી રહેલી લારા દત્તાના પહેરવેશ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચાહકોનું માનવું છે કે લારા દત્તા ફિલ્મમાં કોઈ મોર્ડન ડેઇલી સોપની વહુના ગેટઅપમાં લાગી રહી છે. ફિલ્મના VFX, બજેટની પણ ટીકા: ટ્રેલર લોન્ચ થયા પછી ફિલ્મના ગ્રાફિક્સની ટીકા કરવામાં આવી રહી હતી. આ અંગે રણબીર કપૂરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સ્માર્ટફોન અને ખરાબ ઇન્ટરનેટ કનેક્શન પર લોકો ટ્રેલર જોઈને વિઝ્યુઅલ ઇફેક્ટ્સને જજ કરી રહ્યા છે. મેકર્સે દર્શકોને ફિલ્મને IMAX 3Dમાં જોવાની વિનંતી કરી છે. રામલીલા મહાસંઘે પ્રશ્નો ઉઠાવ્યા: શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડક્શન કંપનીને પત્ર લખીને ચેતવણી આપી છે. મહાસંઘના અધ્યક્ષ અર્જુન કુમારે માંગ કરી છે કે, આ દિવાળીએ દેશ-વિદેશમાં રિલીઝ થાય તે પહેલાં આ ફિલ્મ તેમના પ્રતિનિધિમંડળને બતાવવામાં આવે. મહાસંઘનું કહેવું છે કે, તેમને મળેલી માહિતી મુજબ ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો હોઈ શકે છે, જે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. જો વિવાદાસ્પદ દ્રશ્યો હટાવવામાં નહીં આવે, તો સિનેમાઘરોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. મહાસંઘે પોતાના પત્રમાં વર્ષ 2023માં આવેલી ફિલ્મ 'આદિપુરુષ'નું ઉદાહરણ આપ્યું છે. અર્જુન કુમારે યાદ અપાવ્યું કે, 'ભૂષણ કુમારના પ્રોડક્શન અને પ્રભાસ-સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મના ઘણા દ્રશ્યો પર સનાતન સમાજ અને રામલીલા સાથે સંકળાયેલા લોકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. તે ફિલ્મમાં સોનાની લંકાને કાળી બતાવવામાં આવી હતી અને મહાજ્ઞાની રાવણ અને તેની સેનાનું ચિત્રણ મંગોલ લૂંટારાઓની જેમ કરવામાં આવ્યું હતું.' આ ભારે વિરોધને કારણે કરોડોના બજેટમાં બનેલી તે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ઇમ્પેક્ટ ફીચર:અશ્વમેઘ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડના રશેષ ઉપાધ્યાય દિવ્ય ભાસ્કરમાં ICICI પ્રુડેન્શિયલ લાઇફ સાયકલ ફંડ્સ પર વાત કરે છે
    Next Article
    સ્વામીનારાયણ સંતો જવાના હતા એટલે મહિલા કર્મીઓની ડ્યૂટી હટાવી:પેરિસમાં ભેદભાવ મુદ્દે કર્મચારીઓ હોબાળો કરી હડતાલ પર ઊતર્યા; એફિલ ટાવર બંધ રાખવું પડ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment