Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરસાડીમાં સંત રવિદાસ મહારાજની કળશ યાત્રા યોજાઈ:મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં કળશ વિતરણ કાર્યક્રમ સંપન્ન

    4 days ago

    પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે 20 ઓગસ્ટના રોજ બપોરે 2 કલાકે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મજયંતી નિમિત્તે કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ સંપન્ન થયો હતો. મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો જોડાયા હતા. આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, વલસાડ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન, મહામંત્રી હરીશભાઈ પટેલ, જીગ્નેશભાઈ ઉદવાડીયા, જિલ્લા પંચાયત સદસ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા યુવા મહામંત્રી મયંક પટેલ, યુવા મોરચા પ્રમુખ રવિ પટેલ, જિલ્લા ઓબીસી મહામંત્રી ગ્રેવીન ટંડેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગામના સરપંચ ખુશ્બૂબેન ટંડેલ, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સરપંચ મિત્રો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંત શ્રી રવિદાસ મહારાજના સમરસતા અને સામાજિક એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ કળશ યાત્રા અને કળશ વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 સુરતની કડવી વાસ્તવિકતા:સલાબતપુરામાં ગંદકીથી ત્રસ્ત જનતાનો ફૂટ્યો જ્વાળામુખી, ચાર રસ્તા પર કચરો ઠાલવી પાલિકા તંત્રને ઘૂંટણિયે પાડ્યું
    Next Article
    વુમન્સ હોકી વર્લ્ડકપ- આજે ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે:ડ્રો રમવા પર ટીમ ઈન્ડિયા ટૉપ-8માં પહોંચશે; 2 ગોલ કરી ચૂકેલી દીપિકા પાસેથી ફરી આશાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment