Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં પ્રિ-મોન્સુન સમારકામ:આવતીકાલે સવારે 8થી બપોરે 2 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

    15 hours ago

    વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સુન સમારકામના કારણે આવતીકાલે, 7 એપ્રિલ 2026, મંગળવારે વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી 11 કેવી ટાવર ફીડર પર મરામત કામગીરી હાથ ધરાશે, જેનાથી શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા જાહેર કરાયા મુજબ, રેયોન હાઉસિંગ સોસાયટી, આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટી, સલાટ સોસાયટી, કલ્યાણ સોસાયટી, કોડીવાડા વિસ્તાર, પ્રકાશ કોમ્પ્લેક્સ, સાઈનાથ કોમ્પ્લેક્સ, 80 ફુટ રોડ અને બેંક કોલોની સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર પડશે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન વીજ પુરવઠો સ્થિર અને અવરોધમુક્ત રહે તે માટે પ્રિ-મોન્સુન સમારકામ અત્યંત જરૂરી છે. આ કામગીરી દ્વારા વીજ લાઇન, સાધનો અને ફીડરોની તપાસ તથા મરામત કરવામાં આવે છે, જેથી ભારે વરસાદ અને પવનથી થતા વિક્ષેપો ઘટાડી શકાય. વીજ વિભાગે નાગરિકોને આગોતરું આયોજન કરવા અને જરૂરી ઇલેક્ટ્રિકલ કામકાજ સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે, તેથી સાવચેતી રાખવા પણ સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    કરિશ્મા તન્નાના ઘરે 'બાલવીર' આવશે:એક્ટ્રેસે મેટરનિટી શૂટના ફોટો શેર કર્યા, સેલેબ્સ અને ચાહકોએ શુભેચ્છા પાઠવી
    Next Article
    સાંતલપુરના પીપરાળામાં ઘર બહાર સૂતેલા દંપતીને તસ્કરોએ નિશાન બનાવ્યાં:45 હજાર રોકડ તેમજ 60 હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment