Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:વકીલે કહ્યું-એર ઈન્ડિયા પીડિત પરિવારોને લોભામણી ઓફરો કરીને ડોક્યુમેન્ટ સાઈન કરાવે છે

    22 hours ago

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI171 ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે(12 જૂન) અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઈટ પર તેને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષા રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મૂળ કલોલના અને લંડનમાં સ્થાયી થયેલા પત્ની અને દીકરાને ગુમાવનાર યુવાને રડતાં રડતાં કહ્યું કે, અમને સાચો ન્યાય ક્યારે મળશે. ‘એર ઈન્ડિયા પીડિત પરિવારોને લોભામણી ઓફરો કરી રહી છે’ એર ઈન્ડિયા એરક્રેશના 120 પીડિત પરિવારોના એડવોકેટ આયુષ દુબેએ દાવો કર્યો છે કે, એર ઈન્ડિયા પીડિત પરિવારોને લોભામણી ઓફરો કરી રહી છે. કંપની પરિવારોનો સંપર્ક કરીને ચોક્કસ ડોક્યુમેન્ટ્સ અને પેપર્સ પર સહી કરાવી રહી છે, જેમાં કંપની સામે કોઈપણ પ્રકારની કાનૂની લડત નહીં લડવાની શરત રાખવામાં આવી રહી છે. વકીલની ટીમ સાથે જોડાયેલા 120 પરિવારોમાંથી અત્યાર સુધીમાં 10 લોકોને આવી ઓફર મળી છે, પરંતુ સામે આવ્યું છે કે કેટલાક મૃતકોના પરિવારે આગામી સમયમાં કાનૂની લડત ન લડવા માટે આવા દસ્તાવેજો પર સહી કરી દીધી છે. આ પણ વાંચો: પુત્રના મોત બાદ વ્યવસાય સંભાળનાર હવે કોઈ રહ્યું નથી 12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દેશ-વિદેશ અને અમદાવાદના 260થી વધારે મુસાફરોના મૃત્યુ થયા છે ત્યારે એક વર્ષ પૂર્ણ થતા આજે મૃતકના પરિવારજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર મૃતકના પરિવારજનો એક વર્ષ પહેલા બનેલી ગંભીર દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્લેન ક્રેશ સાઇટ ઉપર એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તેના અવશેષો આજે પણ જોવા મળે છે. આ પણ વાંચો: મેં ચીસો પાડી ગડુને બચાવો, પણ બચાવી ન શકી લંડનથી આવેલા પરિવારે પણ પ્લેન ક્રેશ સાઈટ પર તેમના પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશમાં લંડનના ફ્યોંગલે જીવ ગુમાવ્યો હતો. તેના માતા-પિતા શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આજે બ્રિટિશ હાઇ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોન થોડીવારમાં ઘટનાસ્થળ પર પહોચશે અને સાઇટની મુલાકાત લેશે. ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર સાંજે સાત વાગ્યે જાણીતા કલાકારો હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરશે. ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે, રણજિત વાંક ઉપસ્થિત રહેશે. પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિની ભાવુક કરતી તસવીરો આ પણ વાંચો: 'ન્યાય નહીં મળે ત્યાં સુધી સંસાર નહીં માંડુ':અમદાવાદ પ્લેન ક્રેશમાં માતા-પિતા ગુમાવનાર તરસાદીની મુક્તિ
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભૂતિયા ડિમોલિશન સામે ધરણામાં મહિલાને ચક્કર આવ્યા, 5 દિવસથી ગુમ યુવકની કારમાંથી કોહવાયેલી લાશ મળી
    Next Article
    વાવ-થરાદના કૂવાણા ગામે ધોળા દિવસે ઘાતકી હત્યા:હાઈવે પરના પાર્લર પર યુવાન પર ધારિયા-છરીથી જીવલેણ હુમલો, CCTV વાઈરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment