Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં ભાઈએ ભાઈની હત્યા કરી:પત્ની સાથે આડાસંબંધની શંકામાં ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો, આરોપીની ધરપકડ

    11 hours ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક સગા ભાઈએ જ પોતાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી છે. લિંબાયતના આંબેડકરનગરમાં રહેતા 30 વર્ષીય અનિલ યુવરાજ સોનવણેને પોતાની પત્ની સાથે નાના ભાઈ સુનીલના અનૈતિક સંબંધ હોવાની આશંકા હતી. આ વહેમ અને અદાવતમાં અનિલે લોખંડની સીડી પાસે ઉગ્ર તકરાર બાદ ચપ્પુ વડે હુમલો કરી 28 વર્ષીય સુનીલ સોનવણેની નિર્મમ હત્યા નીપજાવી હતી. ઝઘડો કરી માથા અને પડખામાં ચપ્પુના ઘા ઝીંક્યા ઘટનાની વિગત મુજબ, 15 ઓગસ્ટની રાત્રે આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ઘર નંબર 558ની લોખંડની સીડી પાસે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા અનિલે ચપ્પુ કાઢી સુનીલના માથાના ભાગે ઝીંકી દીધું હતું. ઈજાગ્રસ્ત સુનીલ જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતુ અનિલે પીછો કરી ઘર નંબર 513 પાસે તેને પકડી ડાબી બાજુ પડખામાં ચપ્પુનો જીવલેણ ઘા મારી દીધો હતો, જેના કારણે સુનીલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ભાઈને દબોચ્યો આ બનાવ અંગે પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં 16 ઓગસ્ટના રોજ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ચાવડા અને તેમની ટીમે હ્યુમન રિસોર્સ અને બાતમીદારોની મદદથી વર્ક આઉટ શરૂ કર્યું હતું. પોલીસે સઘન શોધખોળ હાથ ધરી આંબેડકરનગર પાણીની ટાંકી પાસેથી આરોપી અનિલ સોનવણેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આરોપી રીઢો ગુનેગાર, અગાઉ પણ કેસ નોંધાયેલા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી અનિલ યુવરાજ સોનવણે રીઢો ગુનેગાર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લિંબાયત પોલીસ મથકમાં તેની સામે અગાઉ પણ મારામારી, ધમકી અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કેરળ, સાબરકાંઠાનાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા રાજકોટમાં વિરોધ:ક્વિઝ કોમ્પિટિશનમાં વીર સાવરકર અંગે પ્રશ્ન પૂછતા, મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા શિક્ષક સામે કાર્યવાહી મામલે રાજકોટ કલેક્ટર મારફત PMને રજૂઆત
    Next Article
    જામનગર હોમગાર્ડ્ઝએ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા:શ્રાવણ માસમાં અકસ્માત નિવારવા 700થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment