Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોથળામાંથી મળેલી મહિલાના લાશના PM રિપોર્ટમાં ઘટસ્ફોટ:હાથ-પગ બાંધી ગળું દબાવી મર્ડર, પારિવારિક કલેશમાં પરિચિત મહિલાએ હત્યા કર્યાની શંકા

    10 hours ago

    સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં રહેતા 57 વર્ષીય મૂળ બિહારની મહિલાની ગળે ટૂંપો આપી હત્યા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દેવાયેલી લાશ ગઈકાલે (11 માર્ચ) અમરોલી કોસાડ આવાસ નજીકથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશમાં પરિચિત મહિલાએ જ આધેડ મહિલાની હત્યા કરી હોવાની આશંકા છે. આ સાથે ફરીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મહિલાની હત્યા પહેલાં હાથ-પગ બાંધી અને ગળું દબાવીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. 10 માર્ચે ઘરેથી નિકળ્યાની ગણતરીની કલાકોમાં મહિલાની હત્યા મળતી માહિતી પ્રમાણે, અમરોલી કોસાડ આવાસ એચ-2 બિલ્ડિંગમાં મૂળ બિહારના મોહમદ પરવેખ આલમ યુનુસ મન્સુરી છેલ્લા ઘણા સમયથી ભાઈ તથા માતા હમીદાખાતુન (ઉં.વ.57) સાથે રહે છે. મોહમદ પરર્વેખ અને તેનો ભાઈ કતારગામની જવેલરી દુકાનમાં કામ કરે છે. 10 માર્ચની સવારે 11 વાગ્યાના અરસામાં હમીદાખાતુન બજારમાં કપડાં લેવાના રહી ગયા છે, તે લેવા માટે જાઉં છું, કહીને ઘરેથી નીકળ્યા હતા. કોથળો ખોલતા અંદરથી લાશ મળી, એકથી વધુ લોકોની સંડોવણી હોય શકે મોડે સુધી ઘરે નહીં આવતા પરિવાજનોએ અમરોલી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. દરમિયાનમાં ગતરોજ 11માર્ચને બુધવારે સવારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ આવાસમાં સફાઈ કરી રહ્યા હતા. ત્યારે એચ-2 બિલ્ડિંગ પાસે આવેલા હનુમાનજી મંદિરની દિવાલ પાસે કર્મચારીને પ્લાસ્ટિકના એક કોથળામાંથી તીવ્ર દુર્ગંધ આવતા શંકા ગઈ હતી, જેથી કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી કોથળો ખોલતા અંદરથી હમીદાખાતુનની લાશ મળી આવી હતી. પારિવારીક કલેશમાં હત્યા થયાની પોલીસને શંકા પોલીસે તુરંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તપાસમાં જોડાઈ હતી. બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મરનાર હમીદાખાતુનની જે રીતે હત્યા કરીને લાશ ફેંકવામાં આવી છે, તે જોતા પારિવારીક કલેશના કારણે હત્યા થઇ હોવાનું અનુમાન છે. પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન લઈ શંકાસ્પદ પરિચિત મહિલા સહિત કેટલાકની પણ કડક પૂછપરછ હાથ ધરી છે. મહિલાના હાથ-પગ બાંધી હત્યા કરાઈઃ ડો. સંદીપ પલોતી હમીદાખાતુનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાલ ડો.સંદીપ પલોતીએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિભાગ દ્વારા લાશના પરિક્ષણમાં મરનારનું મોઢું, નાક અને ગળાના ભાગ દબાવીને તેમજ માથામાં ઇજા થવાના કારણે મોત થયાનું માલુમ પડયું છે. હત્યા સમયે હમીદાખાતુના પગ અને હાથ બાંધી દીધા હતા. હત્યા 30 કલાક પહેલાં કરી હોવાનું અનુમાન છે. સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી
    Click here to Read More
    Previous Article
    સુરતની સરકારી સ્કૂલોમાં સ્વચ્છતાના નામે 'મીંડું':17 શાળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય; પીવાના પાણીની પરબમાં લીલ-સેવાળ અને લેબમાં ધૂળના ઢગલા મળતા નોટિસ
    Next Article
    CBSE Class 12th English Exam Analysis: ‘Paper balanced,’ students, teachers shares feedback

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment