Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર હોમગાર્ડ્ઝએ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા:શ્રાવણ માસમાં અકસ્માત નિવારવા 700થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત કરાયા

    12 घंटे पहले

    જામનગર હોમગાર્ડ્ઝ દ્વારા શ્રાવણ માસમાં પદયાત્રીઓની સુરક્ષા માટે પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અકસ્માત નિવારવાના શુભ આશયથી ભોળેશ્વર મહાદેવ મંદિરે પગપાળા જતા શ્રદ્ધાળુઓને રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવામાં આવી રહી છે. આ સેવાકાર્ય દર વર્ષની પરંપરા મુજબ હાથ ધરવામાં આવ્યું છે. આ સુરક્ષા અભિયાનના પ્રથમ તબક્કામાં, શ્રાવણ માસના પ્રથમ સોમવારે 700થી વધુ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાડી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. હોમગાર્ડ્ઝના જવાનો દ્વારા આગામી ત્રણેય શ્રાવણી સોમવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ પટ્ટીઓ લગાવવાનો મુખ્ય હેતુ એ છે કે રાત્રિ દરમિયાન દૂરથી આવતા વાહનચાલકો પદયાત્રીઓને સ્પષ્ટપણે જોઈ શકે અને સંભવિત અકસ્માતો અટકાવી શકાય. આ ઉપરાંત, આગામી ભાદરવા મહિનાની ચોથના દિવસે સપડા મુકામે ગણેશજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓને પણ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવશે. તદુપરાંત, આસો નવરાત્રી પર્વ નિમિત્તે કચ્છ સ્થિત 'માતાના મઢ' ખાતે મા આશાપુરાના દર્શને પગપાળા જતા માઇભક્તોની રાત્રિ મુસાફરી સલામત બને તે માટે પણ વ્યાપક સ્તરે રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જામનગર હોમગાર્ડ્ઝના જવાનો દ્વારા આ અવિરત સેવાકાર્ય સતત કાર્યરત રહેશે.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતમાં ભાઈએ ભાઈની હત્યા કરી:પત્ની સાથે આડાસંબંધની શંકામાં ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો, આરોપીની ધરપકડ
    Next Article
    શ્રાવણના પ્રથમ સોમવારે પાટણના શિવમંદિરોમાં ભક્તો ઉમટ્યા:કોટેશ્વર મહાદેવમાં ભુતનાથની ભવ્ય આંગી, શિવાલયો હર હર ભોળાના નાદથી ગુંજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment