Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોબચાર્ટના વિવાદ:જિલ્લાના ખેડૂતો પીસાયા તલાટીના બહિષ્કારથી પેઢીનામા અટવાઈ ગયા

    16 hours ago

    પંચાયત તલાટી કમ મંત્રીઓએ 3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરતાં તેની સીધી અસર હવે ખેડૂતો પર પડી રહી છે. રાધનપુર સહિત પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેઢીનામા સહિત ની કામગીરી અટકી પડતાં જમીનમાં વારસાઈ નોંધથી માંડી બેંક લોન અને ખેતી સહાય મેળવવા સુધીનાં કામો અટવાયા છે. પેઢીનામું કરાવવા ખેડૂતો ગ્રામ પંચાયતોમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કામગીરી બંધ હોવાથી અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સતિષભાઈ જાદવે જણાવ્યું કે, મહેસૂલ કૅડર અલગ થયાને 15 વર્ષ થવા આવ્યા છતાં પંચાયત તલાટી કમ મંત્રીઓની મહેસૂલી કામગીરી અંગેનો જોબ ચાર્ટ સરકાર દ્વારા હજુ સ્પષ્ટ કરાયો નથી. રાજ્યમાં આશરે 6 હજાર રેવન્યુ તલાટીઓ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં મહેસૂલી કામગીરીનો મોટો હિસ્સો પંચાયત તલાટીઓ પાસે જ કરાવવામાં આવે છે.આ મુદ્દે મંડળ દ્વારા 3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરાયો છે. પેઢીનામું ન મળે તો વારસાઈ નોંધ ન થાય જમીનમાં વારસાઈ કરાવવા માટે પેઢીનામું જરૂરી હોવાથી કામગીરી બંધ થતાં સૌથી વધુ અસર ખેડૂતોને થઈ રહી છે. પેઢીનામા ઉપરાંત રેશનકાર્ડ સંબંધિત સહિત ની વિવિધ કામગીરી અટકેલી છે. બેંક લોન કે અન્ય તાત્કાલિક કામો માટે કેટલાક કિસ્સામાં સોગંદનામાના આધારે કામ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતો માટે આ કાયમી ઉકેલ નથી. જોબ ચાર્ટ અંગે પરિપત્ર બહાર પાડવાની ચર્ચા કસબા વિસ્તારમાં મહેસૂલી કામગીરી રેવન્યુ તલાટી કરે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી પંચાયત તલાટી કમ મંત્રી સંભાળે છે. પરિણામે ગ્રામ્ય ખેડૂતોને સૌથી વધુ અસર થઈ રહી છે. 15 ઓગસ્ટ પહેલાં જોબ ચાર્ટ અંગે પરિપત્ર બહાર પાડવાની ચર્ચા વચ્ચે હવે ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે.
    Click here to Read More
    Previous Article
    રાની સિદ્ધુ નામની મહિલાએ પોતાના આઈડીમાં વીડિયો અપલોડ કર્યો:સફાઈકર્મીને માર મારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકનાર મહિલા સિક્યુરિટી સામે ફરિયાદ
    Next Article
    વધુ પ્રદૂષણ મળ્યું તો GPCB કડક પગલાં લઈ શકે:STP પ્લાન્ટમાંથી છોડાતા પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment