Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાની તબિયત લથડી:પાટડીના પાનવા દર્શને આવતા બ્લડપ્રેશર લો થયું, ડોકટરોએ તત્કાલ સારવાર આપી સ્વસ્થ કર્યા

    15 hours ago

    પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજીની પાટડી તાલુકાના પાનવા ખાતે તબિયત લથડી હતી. તેઓ શંખેશ્વરનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના પરિવારજનો સાથે પાનવા 108 પાર્શ્વનાથ મંદિર અને ગૌશાળાની મુલાકાતે આવ્યા હતા. ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેમની તબિયત બગડતા તેઓ ખુરશીમાં બેસી ગયા હતા. આ ઘટનાથી ત્યાં ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રાજ્યપાલ સાથે રહેલી ડોકટરોની ટીમે તાત્કાલિક તેમનું બીપી માપ્યું હતું, જે ઓછું આવ્યું હતું. તેમને તરત જ લીંબુ પાણી આપવામાં આવ્યું હતું. થોડા સમય બાદ ફરીથી બીપી માપવામાં આવતા તે સામાન્ય જણાયું હતું, જેનાથી સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પાનવા ગૌશાળામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, વણોદ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઠાકોર, વડગામ સરપંચ ભરતભાઈ રાઠોડ અને કથાકાર રાજુભાઈ પંડ્યા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાનવા ખાતે દર્શન કર્યા બાદ રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજી પોતાના પરિવારજનો સાથે પરત રવાના થયા હતા.
    Click here to Read More
    Previous Article
    મહાકાળના દર્શન કરીને પરત ફરતાં પંચમહાલનાં 6 યુવકોનાં મોત:ઉજ્જૈન હાઈવે પર રોંગ સાઈડથી આવતી ટ્રકે ઈકોને ટક્કર મારી, વાનમાં ફસાયેલાં મૃતદેહને કાચ તોડી બહાર કઢાયા
    Next Article
    ધારીના જળજીવડી ગામ નજીક 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો:માથાના ભાગે ગંભીર ઈજાઓ, વનવિભાગની ટીમે દીપડાને પકડવા કવાયત શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment