Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદના મેસવાણ ગામે વીજતાર અથડાતા 6 વીઘા ઘઉં ખાખ.:​કેશોદમાં કુદરતનો પ્રકોપ અને તંત્રની લાપરવાહી: મેસવાણ ગામે વંટોળમાં વીજતાર અથડાતા સ્પાર્કિંગ થયું, ખેડૂતનો લહેરાતો ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત

    3 days ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સાથે જનસુખાકારી માટે પોલીસ તંત્ર સતત ખડેપગે રહેતું હોય છે. કોઈ પણ દુર્ઘટના સમયે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ ઘટનામાં પણ આગની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ખેડૂતની વ્હારે આવ્યો હતો અને ગ્રામજનોની મદદથી આગ વધુ પ્રસરે નહીં તે માટેની વ્યવસ્થાઓ તપાસી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક અહેવાલ અને પંચનામાની પ્રક્રિયામાં પણ પૂરતો સહયોગ આપી ખેડૂતને ન્યાય મળે તે દિશામાં સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. કેશોદ તાલુકાના મેસવાણ ગામે પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ શામજીભાઈ લાડાણીના ખેતર ઉપરથી પસાર થતી 11 કે.વી.ની હાઈટેન્શન લાઈનના તાર છેલ્લા ઘણા સમયથી જોખમી રીતે લટકી રહ્યા હતા. ખેડૂત દ્વારા આ બાબતે અગાઉ પણ અનેક વખત વીજ કંપનીને રજૂઆતો કરવામાં આવી હતી કે આ ઢીલા તાર ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. જોકે, તંત્ર દ્વારા આ રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવી હતી, જેનું પરિણામ આજે ખેડૂતે ભોગવવું પડ્યું છે. ​આજે બપોરના સમયે અચાનક પવનનો વંટોળ ફૂંકાયો હતો. જોરદાર પવનને કારણે ખેતર ઉપર લટકી રહેલા બે વીજ તાર એકબીજા સાથે જોરથી અથડાયા હતા. આ લાઈનમાં થ્રી-ફેઝ પાવર સપ્લાય ચાલુ હોવાથી તાર ટકરાતાની સાથે જ ભયાનક સ્પાર્કિંગ થયું હતું. આ સ્પાર્કિંગના કારણે અગનજ્વાળાઓ નીચે ઉભા ઘઉંના પાક પર પડી હતી. ખેતરમાં ઘઉંનો પાક સંપૂર્ણ તૈયાર હોવાથી અને સૂકો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હરેશભાઈના 10 વીઘાના ખેતરમાંથી 6 વીઘામાં વાવેલા ઘઉં અને ૪ વીઘામાં વાવેલી કલંજીનો પાક આગની લપેટમાં આવી ગયો હતો. પોતાની રાત-દિવસની મહેનતને નજર સામે બળતી જોઈ ખેડૂત પરિવાર અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે પાણી અને માટીનો ઉપયોગ કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતા એટલી વધુ હતી કે તૈયાર પાકને બચાવવો અશક્ય બની ગયો હતો. કાપણીના આરે ઉભેલો પાક મિનિટોમાં જ કાળી રાખમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂત હરેશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ જ્યારે વળતરની આશા હતી ત્યારે તંત્રની આળસને કારણે તેમનો લાખોનો પાક નષ્ટ થઈ ગયો છે. ​આ ગંભીર મામલે કેશોદ PGVCLના નાયબ ઇજનેર પી. બી. ગરચરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વંટોળ આવતા થાંભલા પરના તાર અથડાયા હતા અને સ્પાર્કિંગ થયું હતું. વીજ કંપની દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. હાલના નીતિ-નિયમો અને ધારાધોરણો મુજબ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી વીમા કંપનીને મોકલી આપવામાં આવશે. ખેડૂતને થયેલા આર્થિક નુકસાનનું વળતર વહેલી તકે મળે તે માટેની જરૂરી કાગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની ‘સેન્સ’ પ્રક્રિયા:શાસકોને અહંકાર છે કે, તેઓ જ આવશે, પણ 30 વર્ષના શાસનથી જનતા કંટાળી છે, લોકોની અવગણનાનો અંત આવશેઃ હરિ ભરવાડ
    Next Article
    Gujarat Heat Alert | હજુ 3 દિવસ અંગ દઝાડતી પડશે ગરમી | Weather Updates | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment