Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન:મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

    1 सप्ताह पहले

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ સુરેન્દ્રનગર - સ્વસ્થ સુરેન્દ્રનગર" સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ બગીચા, નવા ફાયર સ્ટેશન સામે, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખિલભાઈ ચંપાનેરી પણ જોડાયા હતા. તેમની સાથે મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, આગેવાનો અને નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાવી સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ સુરેન્દ્રનગરના નિર્માણ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામને કચરાના નિકાલ માટે 2 ડસ્ટબિનને બદલે 4 ડસ્ટબિન રાખવાના નિયમ વિશે માહિતગાર કરાયા હતા. સૌએ સાથે મળીને સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગરના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    યંગ હાર્ટ્સ FC AIFF ફૂટસલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય:DNHDD માંથી ભાગ લેનારી પ્રથમ ક્લબ બની
    Next Article
    જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન:રાજકોટમાં મામાના ઘરે રમતી વખતે ઢળી પડી, સારવાર દરમિયાન મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment