Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન:રાજકોટમાં મામાના ઘરે રમતી વખતે ઢળી પડી, સારવાર દરમિયાન મૃત્યુ

    1 week ago

    જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. રમતા રમતા અચાનક તે જમીન પર ઢળી પડી હતી. આનંદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓના વધતા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. આનંદીના અકાળ અવસાનના સમાચાર મળતા સગા-સંબંધીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન:મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
    Next Article
    ખાખરા હડમતિયા પાટીદાર પરિવારનું સુરતમાં પ્રથમ સ્નેહમિલન યોજાયું:રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જનક તલાવિયા ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment