Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સાયન્સ સિટીમાં 'અશોક વન'નું નિર્માણ:વિશ્વ પર્યાવરણ દિવસે સીતા અશોકના વૃક્ષોનું વાવેતર શરૂ

    1 week ago

    ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'અશોક વન'નું નિર્માણ કરી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સાયન્સ સિટી કેમ્પસમાં 'અશોક વન'માં સીતા અશોક (Saraca asoca) વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરાયું. સીતા અશોક વૃક્ષો પવિત્ર અને ઔષધીય ગુણો ધરાવે છે. તેના સુંદર કેસરી-લાલ ફૂલો અને ઘટાદાર છાયડા માટે તે જાણીતું છે, જે પર્યાવરણ શુદ્ધિ સાથે પ્રાકૃતિક અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે પર્યાવરણ જાળવણીમાં પોતાનો ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમ સાથે જ સાયન્સ સિટી દ્વારા ચોમાસા દરમિયાન ચાલનારા વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુનો મહત્તમ લાભ લઈ, સાયન્સ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નવા વૃક્ષો વાવવાનો અને તેને ઉછેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાયન્સ સિટી પ્રશાસને આ પ્રસંગે નાગરિકોને અપીલ કરી હતી કે, "આપણે સૌ આ પર્યાવરણ દિવસથી સંકલ્પ લઈએ કે આવનારી પેઢીને શુદ્ધ હવા અને હરિયાળું ભવિષ્ય આપવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું અને એક બાળકની જેમ તેનું જતન કરીશું."
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટર કોર્ટમાં ‘ઓપન કોર્ટ’ પદ્ધતિ અમલી:iRCMS પોર્ટલ અને SMS સેવાથી કેસ પ્રક્રિયા બનશે વધુ ઝડપી અને પારદર્શક
    Next Article
    વેરાવળ રેડ ક્રોસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:આરોગ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment