Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રેડ ક્રોસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:આરોગ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    1 week ago

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર, વેરાવળ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના ચેરમેન અતુલભાઈ કાનાબાર અને ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટના હસ્તે વૃક્ષારોપણ દ્વારા થયો હતો. આ પ્રસંગે ઓન. સેક્રેટરી ગીરીશભાઈ ઠક્કર, ઓન. જોઈન્ટ સેક્રેટરી અનિસભાઈ રાચ્છ અને ઓન. ટ્રેઝરર સમીરભાઈ ચંદ્રાણીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે સમાજને પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી અંગેનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. રેડ ક્રોસ આરોગ્ય ભવન અને બ્લડ બેંકના કમ્પાઉન્ડમાં આશરે 20 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સ્ટાફ સભ્યો અને ફર્સ્ટ એડ ટ્રેનિંગ લેતા તાલીમઅર્થીઓને વૃક્ષોના જતન અને પર્યાવરણની સુરક્ષામાં તેના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. સૌએ વધુ વૃક્ષો વાવી પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં યોગદાન આપવા પ્રેરણા લીધી હતી. આ પ્રસંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સાયન્સ સિટીમાં 'અશોક વન'નું નિર્માણ:વિશ્વ પર્યાવરણ દિવસે સીતા અશોકના વૃક્ષોનું વાવેતર શરૂ
    Next Article
    Monsoon IMD Forecast LIVE | ચોમાસાએ છલાંગ લગાવી, 48 કલાકમાં આગાહી | Weather Update | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment