Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગાયના મૃતદેહનો કચરાની ગાડીમાં નિકાલ બંધ:મેયર અશોક ધોરાજીયાનો નિર્ણય: માન-સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

    1 week ago

    નવસારી મહાનગરપાલિકાએ ગાયના મૃતદેહના નિકાલ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, મૃત ગાયોનો નિકાલ કચરાના વાહનોમાં અમાનવીય રીતે કરવાને બદલે, તેમને પૂરા માન-સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. આ સંવેદનશીલ નિર્ણય મેયર અશોક ધોરાજીયા અને ચૂંટાયેલી પાંખ દ્વારા લેવામાં આવ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. આ આસ્થા અને સંવેદનાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ ગાય માતાને ગરિમાપૂર્ણ અંતિમ વિદાય આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રથાની વિધિવત શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તાજેતરમાં, નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કરુણા મંડળ ટ્રસ્ટમાં એક ગાયનું મૃત્યુ થયું હતું. મહાનગરપાલિકાના નવા નિર્ણય અંતર્ગત, આ ગાય માતાની આરતી ઉતારી, તિલક કરી અને પુષ્પાંજલિ અર્પીને સ્વચ્છ વાહનમાં યોગ્ય રીતે અંતિમ વિદાય આપવામાં આવી. અગાઉ ગાયના શબનો નિકાલ મહાનગરપાલિકાના ટ્રેક્ટરો કે કચરાના વાહનોમાં થતો હતો, જે પ્રથા હવે સંપૂર્ણપણે બંધ કરાઈ છે. આ અંગે માહિતી આપતા મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે, "જ્યારે આપણે ગાયને માતા કહીએ છીએ, તો એમનો નિકાલ કચરાની ગાડીઓમાં કે અમાનવીય રીતે ન થવો જોઈએ. મેં મેયર પદ સંભાળ્યા બાદ આ મારો પહેલો નિર્ણય હતો." તેમણે ભગવાન મહાવીર કરુણા મંડળ ટ્રસ્ટની સેવાઓની પણ પ્રશંસા કરી. મેયર ધોરાજીયાએ વધુમાં ઉમેર્યું કે, "આપણી સગા જનનીનું મૃત્યુ થાય ત્યારે જે ગરિમા સાથે અંતિમ સંસ્કાર કરીએ છીએ, તે જ રીતે ગાય માતાની પણ અંતિમ ક્રિયા થવી જોઈએ. હવે પછી શહેરમાં આવી કોઈ ઘટના બનશે ત્યારે હું પોતે અથવા મહાનગરપાલિકાના પ્રતિનિધિ ત્યાં રૂબરૂ હાજર રહીને પૂરા માન-સન્માન અને વિધિ સાથે ગાય માતાની અંતિમ વિધિ સંપન્ન કરાવશે."
    Click here to Read More
    Previous Article
    અમીરગઢ બોર્ડર પર ભૂંડ ભરેલો ટ્રક ઝડપાયો:પોલીસ-જીવદયા પ્રેમીઓએ 70 પશુઓ બચાવ્યા; ત્રણ સામે ગુનો નોંધ્યો
    Next Article
    પાટણ ITI ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતીમેળો:8 જૂને રાજપુર ITI માં સવારે 10 કલાકે યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment