Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રાઈવર વગરની બસ રિવર્સમાં દોડી:સુરેન્દ્રનગર ડેપોમાં મોટી દુર્ઘટના ટળી

    13 hours ago

    સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાં ડ્રાઈવરની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. મુસાફરો વિનાની એક એસ.ટી. બસ ઢાળ પરથી પાછળની તરફ સરકીને મુખ્ય માર્ગ પર આવી પહોંચી હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના આજે સુરેન્દ્રનગર એસ.ટી. બસ ડેપો ખાતે બની હતી. સુરત-સુરેન્દ્રનગર રૂટની આ બસ સુરતથી મુસાફરો ભરીને પરત આવી હતી. મુસાફરોને ઉતાર્યા બાદ બસને પાર્સલ વિભાગ સામે ખાલી કરીને ઊભી રાખવામાં આવી હતી. બસ ઊભી રાખ્યા બાદ ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવ્યા કે બસને યોગ્ય રીતે લોક કર્યા વિના જ શૌચાલય જવા નીકળી ગયો હતો. આ બેદરકારીના કારણે બસ અચાનક સ્ટેશનના ઢાળ પરથી પાછળની તરફ સરકવા લાગી અને મુખ્ય રોડ તરફ ધસી ગઈ. અંદાજે 50 ફૂટ જેટલી પાછળ સરકેલી આ બસ મુખ્ય રોડ પરથી પસાર થતી એક રિક્ષા અને રોડ ડિવાઈડર પરના સીસીટીવી પોલ સાથે ભટકાઈને ઊભી રહી ગઈ હતી. આ અથડામણમાં સીસીટીવી પોલ જમીનદોસ્ત થયો હતો અને રિક્ષાને પણ સામાન્ય નુકસાન થયું હતું. સદનસીબે, બસનું સ્ટેરિંગ જાતે જ વળી જતાં તે ડિવાઈડર કૂદીને સામેની દીવાલે ભટકાતા અટકી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. સુરેન્દ્રનગરના ડેપો મેનેજર ડી.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બસ તદ્દન નવી છે અને એન્જિન સહિતની તમામ બાબતોમાં બિલકુલ યોગ્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટના ફક્ત ડ્રાઈવરની બેદરકારીના કારણે જ બની છે. આ મામલે વિભાગીય સ્તરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જવાબદાર ડ્રાઈવર સામે ખાતાકીય તેમજ બદલી સહિતના કડક પગલાં લેવામાં આવશે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે, જેમાં લોકો બસને રિવર્સ આવતી જોઈ પોતાનો જીવ બચાવતા નજરે પડે છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીક અકસ્માત:માતર ટોલ પ્લાઝા પાસે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ, દોઢ કલાક સુધી રેસ્ક્યૂ કરીને કરજણ ફાયર વિભાગે ડ્રાઇવરનો જીવ બચાવ્યો
    Next Article
    શાહે હુંકાર કર્યો ને 5મા દિવસે બાંગ્લાદેશીઓને કાઢવાનું શરૂ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 291 શકમંદની અટક કરી, 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ, 160ની પૂછપરછ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment