Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભેન્દુની જાહેરાત- મમતા સરકારના ભ્રષ્ટાચારની તપાસ કરાવાશે:મહિલા ઉત્પીડનના કેસોની હાઈકોર્ટના જજની આગેવામાં તપાસ થશે; મૌલવી-પૂજારીઓનું માનદ વેતન બંધ

    1 week ago

    પશ્ચિમ બંગાળના સીએમ શુભેન્દુ અધિકારીએ કેબિનેટ બેઠકમાં મમતા સરકારમાં થયેલા ભ્રષ્ટાચારના કેસો અને મહિલા ઉત્પીડનની તપાસ કરાવવાની જાહેરાત કરી છે. આ માટે 2 આયોગ બનશે. બંને આયોગોની અધ્યક્ષતા કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. સરકારે ઇમામ, મુઅઝ્ઝિન અને પૂજારીઓને આપવામાં આવતા માનદ વેતનને 1 જૂનથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મહિલાઓને અન્નપૂર્ણા યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા આપવા, મફત બસ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. બંગાળ સરકારે રાજ્ય સરકારની નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવાની જાહેરાત કરી. સાતમો પગાર પંચ ગઠિત કરવા અને OBC સૂચિમાં ફેરફાર જેવા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા. મમતાએ ચૂંટણીની જાહેરાતના થોડા કલાકો પહેલા માનદ વેતન વધાર્યું હતું પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે માર્ચમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતના થોડા કલાકો પહેલા જ ઇમામ, મુઅઝ્ઝિન અને પૂજારીઓને મળતું માનદ વેતન ₹500 વધાર્યું હતું. આ પછી, રાજ્યની રજિસ્ટર્ડ મસ્જિદોના ઇમામોને દર મહિને 3000 રૂપિયા, જ્યારે મુઅઝ્ઝિન અને પૂજારીઓને 2000 રૂપિયાની મદદ આપવામાં આવી રહી હતી. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની કોઈ પણ શિષ્યવૃત્તિ યોજના બંધ કરવામાં આવશે નહીં. બંગાળ કેબિનેટના 8 મોટા નિર્ણયો- 1. સરકારી નોકરીઓમાં વય મર્યાદા 5 વર્ષ વધી બંગાળ કેબિનેટે રાજ્ય સરકારની નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદા 5 વર્ષ વધારવાનો નિર્ણય લીધો. નવી વ્યવસ્થા હેઠળ ગ્રુપ A પદો માટે વય મર્યાદા 41 વર્ષ, ગ્રુપ B માટે 44 વર્ષ અને ગ્રુપ C-D માટે 45 વર્ષ કરી દેવામાં આવી છે. આ નિયમ 11 મેથી લાગુ થશે. SC, ST, OBC અને દિવ્યાંગ ઉમેદવારોને મળતી વધારાની વય છૂટ પહેલાની જેમ ચાલુ રહેશે. 2. ભ્રષ્ટાચાર તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની સમિતિ કેબિનેટે રાજ્યમાં સંસ્થાકીય ભ્રષ્ટાચારની તપાસ માટે કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બિસ્વજીત બસુની અધ્યક્ષતામાં પેનલ બનાવવાની મંજૂરી આપી. આ સમિતિ સરકારી યોજનાઓ, બાંધકામના કાર્યો અને સેવા વિતરણમાં કથિત કૌભાંડો, કટમની, લાંચરુશ્વત અને સરકારી ભંડોળના ગેરવહીવટની તપાસ કરશે. લોકોને ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ મળશે. 3. મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચારની તપાસ થશે રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચારના કેસોની તપાસ માટે જસ્ટિસ સમાપ્તિ ચેટર્જીની અધ્યક્ષતામાં બીજી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો. આ આયોગ મહિલાઓ, બાળકો, SC-ST અને લઘુમતી સમુદાય સાથે સંકળાયેલા કેસોની તપાસ કરશે. આ માટે પોર્ટલ, વોટ્સએપ અને ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા બનાવવામાં આવશે. 4. ધાર્મિક આધાર પર મળતું ભથ્થું બંધ કેબિનેટે ઇમામ, મુઅઝ્ઝિન અને પૂજારીઓને ધાર્મિક આધાર પર આપવામાં આવતા સરકારી માનદ વેતનને જૂનથી બંધ કરવાનો નિર્ણય લીધો. પહેલાં ઇમામોને 3000 રૂપિયા અને મુઅઝ્ઝિન-પૂજારીઓને 2000 રૂપિયા માસિક સહાયતા આપવામાં આવતી હતી. 5. મહિલાઓને દર મહિને 3000 રૂપિયા મળશે રાજ્ય સરકારે ‘અન્નપૂર્ણા યોજના’ને મંજૂરી આપી છે. આ અંતર્ગત મહિલાઓને 1 જૂનથી દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. લક્ષ્મી ભંડાર યોજનાના હાલના લાભાર્થીઓને ફરીથી અરજી કર્યા વિના સીધો આ યોજનાનો લાભ મળશે. પૈસા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 6. મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરી કેબિનેટે 1 જૂનથી મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીને પણ મંજૂરી આપી દીધી છે. જોકે, હાલમાં બસોની સંખ્યા વધારવાની કોઈ યોજના નથી. 7. 7મા પગાર પંચને મંજૂરી રાજ્ય સરકારે કર્મચારીઓના પગાર સુધારણા માટે 7મા રાજ્ય પગાર પંચની રચનાને મંજૂરી આપી. તેનો લાભ સરકારી કર્મચારીઓ તેમજ નગરપાલિકાઓ, શિક્ષણ બોર્ડ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને પણ મળશે. પંચની રચના અને અમલની તારીખનું નોટિફિકેશન પછીથી બહાર પાડવામાં આવશે. 8. રાજ્યની OBC યાદી રદ થશે કેબિનેટે 2024ના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયના આધારે હાલની OBC યાદી રદ કરવાનો નિર્ણય લીધો. સરકાર નવી OBC યાદી તૈયાર કરવા અને અનામત પાત્રતા નક્કી કરવા માટે અલગ પેનલ બનાવશે. આ વિવાદ 77 સમુદાયોને OBC યાદીમાં સામેલ કરવા અંગેનો હતો, જેમાં 75 મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થતો હતો. હાઈકોર્ટે 2010 પછી જારી કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રોને અમાન્ય કર્યા હતા. -------------------------------------------- આ સમાચાર પણ વાંચો… કોલકાતામાં અતિક્રમણ હટાવવા સામે વિરોધ પ્રદર્શન:પોલીસ પર પથ્થરમારામાં 3 જવાન ઘાયલ; મમતા બોલ્યા- બંગાળ બુલડોઝર રાજનીતિમાં વિશ્વાસ કરતું નથી કોલકાતામાં રવિવારે પાર્ક સર્કસ વિસ્તારમાં દબાણ હટાવવા સામે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ થયો, જેમાં 3 પોલીસકર્મી ઘાયલ થયા. સુરક્ષા દળોના વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    આવી દેખાશે દેશની પહેલી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન:રેલવે મંત્રાલયે ગેટ પર તસવીર લગાવી; આ વર્ષે સુરત-બિલિમોરા વચ્ચે દોડવાની અપેક્ષા
    Next Article
    32 સંસ્થાઓને નોટિસ:રાજકોટ મનપા દ્વારા જાણીતી શાળાઓ, વેપારીઓની અનધિકૃત જાહેરાતો સામે લાલઆંખ, રાજકીય બેનરો સામે આંખ આડા કાન !

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment