Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં શનિ જયંતિની ભક્તિભાવથી ઉજવણી:શનિ મંદિરોમાં તેલાભિષેક અને વિશેષ પૂજન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ

    6 hours ago

    ભરૂચ શહેરમાં શનિ જયંતી પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના વિવિધ શનિદેવ મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવના દર્શન કરી તેલાભિષેક, પૂજન-અર્ચન તેમજ હવનવિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. ભક્તિમય માહોલ અને વિશેષ શણગાર શનિ જયંતીને લક્ષમાં રાખીને તમામ મંદિરોને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. મંદિરોમાં સતત ચાલતા ભજન-કીર્તન અને ધાર્મિક સ્તોત્રોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં નગરજનોએ મંદિરોની મુલાકાત લીધી હતી અને પરિવારની સુખાકારી, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ચુસ્ત વ્યવસ્થા અને પ્રસાદ વિતરણ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા દર્શન માટે સુવ્યવસ્થિત લાઈનો તેમજ પીવાના પાણીની સગવડ કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ ઉપરાંત, કેટલાક મુખ્ય મંદિરોમાં મહાપ્રસાદ વિતરણ અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન શહેરના ધાર્મિક સ્થળો પર ઉત્સવ અને ઉલ્લાસનો માહોલ છવાયેલો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચોમાસુ વહેલું આવશે, પરંતુ સુપર અલનીનોથી દુષ્કાળ પડવાની આશંકા:MP-UP-રાજસ્થાનમાં ભીષણ ગરમી, ભોપાલમાં રસ્તાનો ડામર પીગળી ગયો
    Next Article
    જામનગરમાં 23 કૃત્રિમ વોટરપોઈન્ટ વન્યજીવો માટે આશીર્વાદરૂપ:વન વિભાગે સોલાર પંપ, કેમેરાથી પ્રાણીઓનું જતન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment