Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 23 કૃત્રિમ વોટરપોઈન્ટ વન્યજીવો માટે આશીર્વાદરૂપ:વન વિભાગે સોલાર પંપ, કેમેરાથી પ્રાણીઓનું જતન કર્યું

    6 hours ago

    જામનગર વન વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોની તરસ છિપાવવા માટે સંવેદનશીલ પહેલ કરી છે. વિભાગ દ્વારા કુલ 23 કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જે વન્યજીવો માટે જીવનદાયી સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના વિવિધ વિસ્તારોમાં આ વોટરપોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ક્ષેત્રીય સ્ટાફ રાત-દિવસ દેખરેખ રાખે છે. સોલાર વોટર પંપ, પાણીના ટેન્કર અને ડંકી જેવા આધુનિક તેમજ પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે વન્યજીવોને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવું પડતું નથી. વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગે વોટરપોઈન્ટ્સ પર ટ્રેપ કેમેરા પણ ઇન્સ્ટોલ કર્યા છે. આ કેમેરાના ફૂટેજમાં દીપડા, રાષ્ટ્રીય પક્ષી મોર, હરણ અને નીલગાય જેવા પ્રાણીઓ નિર્ભય બનીને પાણી પીતા જોવા મળ્યા છે. આ દ્રશ્યો વન્યજીવ સંરક્ષણ કામગીરીની અસરકારકતા દર્શાવે છે. વન્યજીવ સંરક્ષણ અને જૈવ-વૈવિધ્યની જાળવણી એ જામનગર વન વિભાગની પ્રાથમિકતા છે. વિભાગ દ્વારા આવી પ્રકૃતિલક્ષી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં શનિ જયંતિની ભક્તિભાવથી ઉજવણી:શનિ મંદિરોમાં તેલાભિષેક અને વિશેષ પૂજન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ
    Next Article
    કુમકુમ મંદિર 17 મેથી અધિક માસ ઉજવશે:સત્સંગ સભા, દર્શન, પ્રદક્ષિણા સહિતના નિયમો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment