Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:ટેન્કર હડફેટ લેતા દંપતી ખંડિત થયું, પતિનું મૃત્યુ

    7 hours ago

    જામનગર-ખંભાળીયા હાઈવે પર મોટર સાયકલ પર પસાર થતાં દંપતિને ટેન્કર ચાલકે હડફેટે લેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મૃતકના પત્નીએ પોલીસમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા જામ કંડોણાના દિવ્યાબા યુવરાજસિંહ ગોહિલ (ઉ.વ.30) નામના મહિલાની સારવાર માટે ગત તા.14ના રોજ પતિ યુવવરાજસિંહ જસુભા ગોહિલ (ઉ.વ.32) નામના મોટર સાયકલમાં જામનગર લાવ્યા હતા. સારવા કરાવી પરત ઘરે જવા માટે નિકળ્યા હતા. તેઓ બાઈક લઈને જામનગર ખંભાળીયા હાઈવે પર લહેર તળાવ પાસે, ચારણના નેશ પાસે રોડ પરથી બપોરના બે વાગ્યાના સુમારે પસાર થતા હતા. ત્યારે પાછળથી આવતા ટેન્કરે બાઈકને ઠોકર મારતા દંપતિ રોડ ઉપર પટકાતયું હતું. જેમાં દંપતિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા જ પતિનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. દિવ્યાબા ગોહિલએ સીક્કા પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. દંપતિ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના વતની હોવાથી તેમના પરિવારજનો પણ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. મૃતદેહને વતનમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવના પગલે સ્થળ પર લોકો એકત્ર થયા હતા.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રેલવેનું 40 વર્ષ જૂનું સોફ્ટવેર બદલાશે, તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે AI જણાવશે, ઑગસ્ટથી હાઈટેક રિઝર્વેશન સિસ્ટમ લાગુ થશે
    Next Article
    ગૌવંશ પર અત્યાચાર:શહેરના રામેશ્વરનગર પુલ પર ગૌવંશના વાછરડાઓના મૃતદેહો રોડ પર ફેંકતા દેકારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment