Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે અંગારક ચતુર્થી વ્રત:ગણેશજીને દૂર્વા ચઢાવો, હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો; શિવજીને લાલ ફૂલ ચઢાવો

    9 hours ago

    આજે (મંગળવાર, 5 મે) વૈશાખ વદ ચતુર્થી છે. આ દિવસને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેને અંગારક ચતુર્થી કહેવાય છે, કારણ કે આ ચતુર્થી મંગળવારના દિવસે આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ અને હનુમાનજી સાથે છે, તેથી આ દિવસે ગણેશજીની સાથે હનુમાનજી અને મંગળ દેવની પૂજા પણ કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, અંગારક ચતુર્થી વ્રત ઘરમાં સુખ-શાંતિ, ધન-સમૃદ્ધિ અને બાધાઓને દૂર કરવા માટે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ચતુર્થી તિથિનું મહત્વ - ચતુર્થી તિથિના દેવતા ગણેશજી છે. માન્યતા અનુસાર ગણેશજીનો જન્મ પણ આ જ તિથિએ થયો હતો. દર મહિને બે ચતુર્થી આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં અને બંનેનું ધાર્મિક મહત્વ છે. ગણેશજીના ભક્તો આ બંને ચતુર્થીઓ પર વ્રત રાખે છે. આ દિવસે લોકો દિવસભર ઉપવાસ રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી ગણેશ પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે. ચંદ્ર દર્શન વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. અંગારક ચતુર્થી શા માટે ખાસ છે? જ્યારે ચતુર્થી મંગળવારે આવે છે, ત્યારે તેને અંગારક ચતુર્થી કહેવાય છે. આ દિવસ સામાન્ય ચતુર્થી કરતાં વધુ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા ઝડપથી સફળ થાય છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. આ દિવસે ગણેશજીની સાથે-સાથે હનુમાનજી અને મંગળ ગ્રહની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે, ખાસ કરીને તે લોકોને જેમને ક્રોધ, દેવું, વિવાદ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે. ગણેશ પૂજન વિધિ હનુમાનજીની પૂજા વિધિ એવી માન્યતા છે કે મંગળવારે જ હનુમાનજી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ડર, તણાવ અને નકારાત્મકતા દૂર થાય છે. આ દિવસે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. રામ નામનો જાપ પણ કરી શકાય છે. આનાથી માનસિક શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. શિવલિંગ સ્વરૂપમાં મંગળની પૂજા કરવામાં આવે છે જ્યોતિષમાં મંગળ ગ્રહને સેનાપતિ ગ્રહ કહેવામાં આવે છે. તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી માનવામાં આવે છે. મંગળ ગ્રહને ઊર્જા, સાહસ અને ગુસ્સાનો કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. તેથી અંગારક ચતુર્થીના દિવસે શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વ પત્ર, ધતૂરો અને લાલ ફૂલ ચઢાવો. લાલ ચંદન અથવા લાલ ગુલાલ પણ ચઢાવો. આની સાથે “ૐ અં અંગારકાય નમ:” મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ છે, તેમના જીવનમાં લગ્ન, નોકરી કે સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. આવા લોકો આજે લાલ મસૂર દાળનું દાન કરે. જરૂરિયાતમંદોને ભોજન કરાવો. હનુમાનજીના મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવો.
    Click here to Read More
    Previous Article
    ચાલુ મેચમાં રઘુએ 'રાધે-રાધે' લખેલી ચિઠ્ઠી બતાવી:રોહિતની છગ્ગાથી ફિફ્ટી, પંતનો શૂન્ય પર કેચ છૂટ્યો, મુંબઈએ પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    ઘરકંકાસમાં હત્યા કરી પત્ની-પુત્રીની લાશને દાટી દીધી:વડનગરના ચકચારી હત્યા-આત્મહત્યા કેસમાં યુવતીના દાદાએ ફરિયાદ નોંધાવી, સોમવારે ઘરમાંથી માનવ કંકાલ મળ્યા'તા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment