Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે':મુકેશ ખન્નાએ કહ્યું- રણવીર સિંહને 'શક્તિમાન' નહીં બનવા દઉં, નવા ચહેરા માટે દેશભરમાં ઓડિશન લઈશ

    4 days ago

    એક્ટર મુકેશ ખન્નાએ કહ્યું છે કે તે રણવીર સિંહને ‘શક્તિમાન’ના રોલમાં કાસ્ટ કરવાના પક્ષમાં નથી. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે શક્તિમાન માટે નવો ચહેરો પસંદ કરવામાં આવે, જેમાં તે જ છબી અને સાદગીની ઝલક હોય. આ માટે એક્ટર દેશભરમાં ઓડિશન લેવા તૈયાર છે. મુકેશ ખન્નાએ ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે આજના સમયમાં બાળકોને પહેલા કરતા ક્યાંય વધુ શક્તિમાનની જરૂર છે. તેના મતે, 1997ની પેઢીને જે રીતે આ પાત્રે સાચો રસ્તો બતાવ્યો હતો, તેના કરતાં ક્યાંય વધુ જરૂર આજે 2026ના બાળકોને છે. એક્ટરે કહ્યું કે લોકોમાં એક ગેરસમજ ફેલાઈ ગઈ છે કે તે એટલા માટે ના પાડી રહ્યા છે કારણ કે પોતે ફરીથી શક્તિમાન બનવા માંગે છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે પહેલાથી જ શક્તિમાન બની ચૂક્યા છે, હવે તેનું કામ આ પાત્રને આગળ વધારવાનું છે. રણવીરની એક્ટિંગના વખાણ પણ કર્યા મુકેશ ખન્નાએ રણવીર સિંહની એક્ટિંગના વખાણ કરતા કહ્યું કે તે શાનદાર એક્ટર છે અને અલગ-અલગ પાત્રો ભજવવાની ક્ષમતા ધરાવે છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે શક્તિમાનનું પાત્ર માત્ર એક્ટિંગથી નહીં, પરંતુ પર્સનાલિટી અને ઇમેજ સાથે પણ જોડાયેલું છે. તેણે કહ્યું કે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. શોને લઈને સોની તેને કરોડો રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ તે કાસ્ટના કારણે સંમતિ નથી આપી રહ્યા. તે કોઈ મોટા સ્ટારને બદલે નવા ચહેરાને તક આપવા માંગે છે, જેના માટે તે આખા દેશમાં ઓડિશન લેવા પણ તૈયાર છે. તેણે એમ પણ કહ્યું કે પહેલેથી સ્થાપિત છબી ધરાવતા અભિનેતાઓ શક્તિમાન જેવા પાત્ર માટે યોગ્ય નથી, કારણ કે આ ભૂમિકામાં સાદગી અને નૈતિકતાની અલગ ઓળખ જોઈએ છે.
    Click here to Read More
    Previous Article
    આજે પરશુરામ જયંતિ:પાયામાં જ અસત્યના બીજ હશે તો જીત ક્યારેય 'અક્ષય' નહીં રહે, પરશુરામ-કર્ણની વાર્તા પરથી શીખો જીવનનો બોધપાઠ
    Next Article
    ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા- પૂર્વ MLA બળદેવજી ઠાકોર:‘જેવા આવ્યા છો એવા સોસાયટીમાંથી નીકળો’, અમદાવાદમાં પ્રચાર કરવા ગયેલા BJPના ઉમેદવારનો વિરોધ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment