Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીના સાંસદની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય:ભુજ-દિલ્હી વાયા પાલી-મારવાડ ટ્રેનને રેલ મંત્રીની લીલીઝંડી

    15 hours ago

    કચ્છથી દેશની રાજધાની દિલ્હી તરફ જતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભુજથી દિલ્હી વાયા પાલી-મારવાડને જોડતી નવી ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાનના પાલી લોકસભા વિસ્તારના સાંસદ પી.પી. ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે રેલવે મંત્રાલય દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ક્યારથી શરૂ થશે તે બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી હાલમાં માત્ર મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન સમયમાં ભુજથી દિલ્હીને જોડતી બે ટ્રેનો ભુજ-બરેલી અને દિલ્હી સરાઈરોહિલ્લા ટ્રેન કાર્યરત છે, પરંતુ કચ્છમાં વધતા જતા ઉદ્યોગો અને મોટી સંખ્યામાં તૈનાત સૈન્યના જવાનોને કારણે ઉત્તર ભારત તરફ જવા ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળતી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રેન દરરોજ દોડશે અને તેમાં 22 થી 24 કોચની સુવિધા હશે.ભુજથી સવારે 11.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.45 કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી પરત બપોરે 3.30 કલાકે રવાના થઈ બીજા દિવસે સાંજે 4.45 કલાકે ભુજ પરત ફરશે. આ ટ્રેન અંદાજે 1238 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસ દરમિયાન ગાંધીધામ, ભીલડી, જોધપુર, પાલી-મારવાડ, અજમેર અને જયપુર જેવા મહત્વના શહેરોને પણ આ ટ્રેન સેવાનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો:કચ્છભરના જર્જરિત રસ્તા સુધારવા નોન પ્લાનિંગ રોડ માટે 141 કરોડ મંજૂર કરાયા
    Next Article
    રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સર્જ્યો અકસ્માત:સરપટ ગેટ પાસે ટ્રેક્ટરે સાયકલ સવારને કચડ્યા, આધેડનું મોત થતા અરેરાટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment